SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૩ - - 82 એકેંદ્રિય જીવોને સદ્ધનાર, એટલે કે નિશ્ચિતપણે માનનાર, તે પૃથ્વીકાયાદિ એકેદ્રિય જીવોની સભ્યપ્રકારે રક્ષા કરવાના પરિણામને ધરનાર, સર્વ ઉપાધિઓથી શુદ્ધ અને તે યોગ્યતાના આધારે, ગુરુ દ્વારા પાંચ મહાવ્રતોનો ભાર જેના ઉપર મૂકવામાં આવ્યો છે. એવો જે સાધુ, તેનો જે રીતે રાગાદિ કષાયલોક' અને “શબ્દાદિ વિષયલોક સાથે વિજય થાય છે, તે આ અધ્યયન દ્વારા પ્રતિપાદન કરવામાં આવે છે.” આ ઉપરથી સ્પષ્ટ થશે કે કલ્યાણના અર્થી આત્મા માટે લોકવિજય' એટલે “રાગાદિ કષાયલોક' અને “શબ્દાદિ વિષયલોકનો વિજયે અવશ્ય કરણીય છે ? કારણ કે એના વિષે વિના “શસ્ત્રપરિજ્ઞા” અધ્યયન દ્વારા પ્રતિપાદિત અહિંસાનું યથાસ્થિત પાલન થઈ શકતું નથી, કારણ કે રાગાદિ કષાયલોક અને શબ્દાદિ વિષયલોક આત્માને આકુળવ્યાકુળ બનાવી દે છે. આ “રાગાદિ કષાયલોકથી આત્માના સઘળા આંતરશત્રુઓનો અને “શબ્દાદિ વિષયલોકથી આત્માના સઘળા બાહ્ય શત્રુઓનો સંગ્રહ થઈ જાય છે. કલ્યાણના અર્થી આત્માએ આ બન્ને પ્રકારના શત્રુઓ ઉપર વિજય મેળવવાનો સતત પ્રયત્ન કરવો જોઈએ. આખા સંસારની જડ જ આ બે જાતના શત્રુઓ છે. આ બે શત્રુઓને આધીન થયેલા આત્મા પોતાના પોતાપણાને અવશ્ય વિસરી જાય છે, અને એથી જ લોકહેરીને તજવાનું અને લોકેષણામાં નહિ હસવાનું, અનંતજ્ઞાનીઓનું ફરમાન છે. આ ફરમાનના પાલનમાં જ સાચી અહિંસા સમાય છે. રાગાદિ કષાયેલોકને આધીન થયેલો શબ્દાદિ વિષયલોક તરફ ઘસડાય છે. શબ્દાદિ વિષયલોક તરફ ઘસડાયેલો રાગાદિ કષાયલોકને મજબૂત અને ઉગ્ર બનાવે છે. રાગાદિ કષાયલોકમાં જેમ રાગ, દ્વેષ આદિ ગણાય છે તેમ શબ્દાદિ વિષયેલોકમાં શબ્દ, રૂપ અને રસ આદિ વિષયો તેની સામગ્રીઓ અને સ્વજનાદિ પરિવાર ગણાય છે. આ બધાની મમતામાં પડેલો આત્મા પકાય જીવનો રક્ષક કઈ રીતે બને ? ષકાયના રક્ષક બનવા માટે બધી જ પ્રતિબંધક વસ્તુઓથી અલગ થવું પડશે. જ્યાં સુધી અલગ થવામાં ન આવે, ત્યાં સુધી શસ્ત્રપરિજ્ઞામાં હિંસાથી બચવા માટે જે કહેવામાં આવ્યું, તે બની શકે તેમ નથી. લોક આડે આવે, લોકથી હૃદય મૂંઝાય, ત્યાં સુધી અહિંસાનું પાલન ન કરી શકાય. કારણ કે પરિગ્રહ બેઠો છે. વિષય અને કષાય જાગતા છે. ક્રોધ, માન, માયા અને લોભ એ ચારે ભયંકર છે. આનાથી આત્માથી પોતાની પણ રક્ષા થઈ શકતી નથી. જે આત્મા પોતાની રક્ષા ન કરી શકે તે પારકી શી રીતે કરે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy