SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૩ – - 0 આથી તદ્દન સ્પષ્ટ છે કે કલ્યાણના અથ આત્માએ આત્મકલ્યાણની સાધનામાં આવી પડતા અનુકૂળ યા પ્રતિકૂળ ઉપસર્ગોને સહવા માટે સજ્જ રહેવું જોઈએ, અન્યથા “શસ્ત્રપરિજ્ઞા' નામના અધ્યયન દ્વારા કહેલ મહાવ્રતો અને લોકવિજય'નામના અધ્યયન દ્વારા બતાવે સંયમની સાધના દુષ્કર છે. મહાવ્રતોના પાલન માટે અને અથવા તો સંરક્ષણ માટે જરૂરી સંયમના અર્થીએ વાતવાતમાં આકુળ-વ્યાકુળ થઈ જવું કે માનપાનથી અને વાહવાહથી અંજાઈ જવું, એ કોઈ પણ રીતે યોગ્ય નથી. કોઈ કહે કે “મહાવ્રતો અને તેના પાલન માટેના જરૂરી સંયમના પાલન માટે આ બધું છોડવાની શી જરૂર ?' - તો એ ન જ ચાલે, કારણ કે તેની ખાસ જરૂર છે. અનુકૂળ અને પ્રતિકૂળ ઉપસર્ગોના પ્રસંગે સ્થિર રહેનારો આત્મા જ, લોકવિજય કરી “શસ્ત્રપરિજ્ઞા' નામના પ્રથમ અધ્યયનમાં કહેલ મહાવ્રતોનું યથાસ્થિત પાલન કરી શકે છે. શસ્ત્રપરિણાનો હેતુ વાસ્તવિક રીતે અસ્તિત્વને ભોગવતા પૃથ્વીકાયાદિ જીવોનું પ્રતિપાદન કરી તેના વધથી બચવા માટે ઉત્તમ આત્માઓને મહાવ્રતધારી બનાવવાનો છે : અને “લોકવિજય'નો હેતુ એ મહાવ્રતોના પાલન માટે જરૂરી સંયમને બતાવવાનો છે. જ્યારે આ ત્રીજા અધ્યયનનો હેતુ આવી પડતા અનુકૂળ યા પ્રતિકૂળ પ્રસંગોએ સહનશીલ બનાવવાનો છે, કારણ કે એવા અનુપમ સાધ્યની સિદ્ધિ માટે એ સહનશીલતાની ઘણી જ જરૂર છે. બન્ને જાતના ઉપસર્ગોમાં ખરી કઠિનતા અનુકૂળ ઉપસર્ગ સહવામાં છે. ફરજ શાથી ચુકાય છે? આજે કોઈ પણ ગૃહસ્થમંડળ કે કોઈ પણ સાધુમંડળ ફરજથી ચૂકતું હોય, તો તે બહુલતયા અનુકૂળ ઉપસર્ગથી જ! “આપ સાહેબ, આપ તો શેઠ, આપ તો ઉદાર, આપ તો આવા’ - કહીને ગૃહસ્થને ધર્મથી ખસેડવામાં અને એના હાથે ન કરવાનાં કાર્ય કરાવવામાં પણ આજે વાર નથી લાગી. “આપ સાહેબ' થયા એટલે ફુલાય અને પછી આગમને આઘાં મૂકો એમ કહેતાં વાર નહિ. આ રીતે ફુલાવીને કામ કરાવનારાઓ કામ કરાવીને ચાલ્યા જાય, એમાં જરા પણ વાર ન લાગે. માનભૂખ્યા સાધુને પણ આવીને કહે કે “આપ તો તારક, સાચા ઉદ્ધારક, આપ ઉદ્ધાર નહિ કરો તો કોણ કરશે ? આપે તો અમારી બધી ખબર રાખવી જોઈએ, આપ વિના તો જીવાય જ નહિ.” આવી મીઠી મીઠી ચાર વાતો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy