SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૮ : બધું જ છ કાય જીવોની રક્ષા માટે : ♦ નવે અધ્યયનોના અર્થાધિકારનું વર્ણન : ૭ વિશેષ પ્રકારે વિચારવા યોગ્ય : ૭ આસ્તિક્સની આવશ્યકતા : ♦ લોકવિજય : તિતિક્ષા-સહનશીલતા : ♦ ફરજ શાથી ચુકાય છે ? ૦ પ્રશ્નો અને ઉત્તરો : 45 • દુનિયાદારી એટલે જ છકાયની વિરાધના : ♦ મુનિની દરેક ક્રિયાનો હેતુ શો ?' રાષ્ટ્રધર્મ શું મુક્તિ અપાવે ? ♦ શરીર ૨ક્ષણીય કે સેવ્ય અનુકૂળ ઉપસર્ગોથી સાવધ રહો ! શરીરની રક્ષા હોય કે સેવા હોય ? ક્ષેત્ર ને કાળ ક્યાં જોવાય ? • જિનપૂજન અને ગુરુભક્તિ એ રૂઢિ છે ? વિષય : અધ્યયનોનો પરિચય અને તેનો હેતુઃ ઢીકાના માધ્યમે આ પૂર્વના વ્યાખ્યાનમાં પ્રથમ અધ્યયન અંગે નિર્દેશ કર્યા બાદ અત્રે બાકીનાં દરેક અધ્યયનોની રચના પાછળના ઉદ્દેશ્યોની ટીકાકારના શબ્દોના સહારે છણાવટ કરેલ છે. નિશ્ચિત કલ્યાણ થવાનું જાણતા હોવા છતાં ખુદ તીર્થંકર પરમાત્મા પણ ચારિત્રસ્વીકારાદિનો પુરુષાર્થ આચરે છે, તો બાકીના દરેક કલ્યાણાર્થી માટે તો ધર્મપુરુષાર્થ કેટલો આવશ્યક બની જાય તે આ પ્રવચનમાં સુંદર રીતે સમજાવેલ છે. આગળ વધતાં પ્રશ્નોત્તર શૈલીમાં અનેક પ્રાસંગિક પ્રશ્નોના મનમોહક ખુલાસાઓ ૫૨મ ગુરુદેવશ્રીજીએ આપ્યા છે. છેવટે દેવગુરુનાં નમન પૂજનાદિ કલ્યાણકારી કાર્યોને રૂઢિ કહીને વગોવનારા કમભાગીઓને સણસણતા ચાબખા ફટકારી એ રૂઢિઓ કેવી કલ્યાણકા૨ક છે તે સુપેરે સમજાવી આપ્યું છે. સુવાકયાાતૃત ♦ આસ્તિય વિના ‘જૈનત્વ'ની કે ‘સમ્યક્ત્વ'ની કલ્પના કરવી, એ આકાશને પુષ્પ આવ્યાની કે વંધ્યાને પુત્ર થયાની કલ્પના કરવા જેવું છે. → જે આત્મા પોતાની રક્ષા ન કરી શકે તે પારકી શી રીતે કરે ? ♦ બન્ને જાતના ઉપસર્ગોમાં ખરી કઠિનતા અનુકૂળ ઉપસર્ગ સહવામાં છે. • જેને ષટ્કાયરક્ષક બનવું છે અને કહેવરાવવું છે, તેનાથી દુનિયાદારીની સાથે રહેવાય નહિ જ, કારણ કે ‘દુનિયાદારી એટલે જ ષટ્કાયની વિરાધના' ! ♦ મનુષ્યને માથે જો આટલો ધર્મનો અંકુશ ન હોત, તો એ નગરમાં પ્રવેશવા જોગા પણ ન હોત ! ♦ ધર્મક્રિયા માત્ર મુક્તિના ઇરાદે જ ક૨વી જોઈએ, અન્ય ઇરાદે કરે તો એ પુણ્યમાં પાપાનુબંધનો અંશ લાગતાં વાર ન લાગે. Jain Education International ♦ શાસ્ત્રનો મનગમતો ઉપયોગ કરનાર પ્રભુના શાસનમાં રહેવા માટે લાયક નથી. ♦ મુનિની કાર્યવાહી એક જ કે દુનિયાના પ્રાણીને ઉત્તમ માર્ગે જોડવા ! ♦ સત્યની જિજ્ઞાસા કરતાં પોતે માનેલું કહેનાર મળે એ ઇચ્છા વધારે દેખાય છે. પોતાના વિચારને પુષ્ટિ ક્યાંથી મળે એ જ આજે શોધાય છે, આથી જ હૈયામાં સત્ય ઊતરી શકતું નથી. ૭ જે સારાં કાર્યોમાં ફાળો ન આપી શકે તે શરીરની રક્ષા પણ ન હોય, તો સેવાની તો વાત જ શી ? ♦ સમ્યગ્દષ્ટિ આત્મા જ્યાં કલ્યાણ દેખે ત્યાં જ હૃદયથી શિર ઝુકાવે, પણ બીજે નહિ, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy