SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૩ પુણ્યવાન માટે આ મકાન નથી. તમારી સાથે ચા પીવાની લાયકાત અમારામાં નથી.” આમ તો બોલો ! પાંચમે દાડે કંપ ન થાય તો કહેજો, પણ ધર્મી તો હશે ત્યારે – હશે ત્યારે કરે, એટલે પેલા માથે ચડે એમાં નવાઈ શી? વેપારી, આડતિયો ગમે તેવો હોય પણ એની સાથે સંબંધ ક્યાં સુધી રાખે ? પૈસાનો વાંધો ન પડે ત્યાં સુધી જ ! ચોપડા માને અને વ્યવહાર સાચવે ત્યાં સુધી. છૂટ માગે એ વાત જુદી પણ હિસાબ તો ચોખ્ખો જ રાખે, ત્યાં સુધી ! તો પ્રભુના શાસન માટે આ કાયદો કાં નહિ ? અને પાખંડીઓની સાથે બેસવામાં તમારી શોભા પણ શી ? તમને અંધશ્રદ્ધાળુ કહે, એની સાથે વાત કરવામાં તમારી શી શોભા છે ? એવું કહેનારા તમારી સહાયથી જ પુષ્ટ થયા છે, છતાંય તેઓ ઉપકારનો બદલો અપકારથી વાળે છે. છતાંય જો ઉપકારી ન સમજે તો એ લાતો મારે તેમાં નવાઈ પણ શી? માટે કહું છું કે પ્રભુશાસનને પામ્યા છતાં પણ આવા ગાંડા ન બનો કિંતુ ડાહ્યા બનો, અને તમારી ફરજને સમજો ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy