SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ 631 - -- ૩ઃ શિક્ષણનો હેતુ શો ?- 44 - ૧૦૩ પૈસો તારા માટે નથી !' જૈન સમાજનો પૈસો દેવગુરુને હમ્બગ કહેનારને અપાય? હરગિજ નહિ, કાયદો કહે છે કે “ન જ અપાય.’ પાંજરામાં ઊભો રાખીને પૂછો કે તું શ્રી જિનેશ્વરદેવને માને છે કે નહિ ? જો “ના' પાડે તો આપેલો પૈસો ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે પાછો લઈ શકો છો. કારણ કે એ પૈસો શ્રી જિનેશ્વરદેવનો સેવક જાણીને આપ્યો હતો. શ્રી જિનેશ્વરદેવનો સેવક દુઃખી ન થાય માટે આપ્યો હતો, પણ એ શ્રી જિનેશ્વરદેવની આશાતના થાય તેમ વર્તે અને તેમને હમ્બગ કહે, શ્રી જિનેશ્વરદેવનાં અનુષ્ઠાનોને હમ્બગ કહે અને તેમની ઠેકડી કરે, તથા શ્રી જિનેશ્વરદેવની દીક્ષાની હાંસી કરે તે માટે રાતી પાઈ પણ આપી નથી. શ્રી જિનેશ્વરદેવને, શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાને હડધૂત કરવા રાતી પાઈ પણ આપી નથી. શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા રોમ રોમ પરિણમી હોય તો પાકા થઈને આવું બોલજો. શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાને હમ્બગ કહેનારને જૈન સમાજ પાસેથી એક પૈસો પણ લેવાનો અધિકાર શો છે? જેને શ્રી જિનેશ્વરપ્રભુનાં પ્રરૂપેલાં અનુષ્ઠાન ન ગમે, તે જૈનશાસન પાસે પૈસો માગવા નાલાયક છે. ગરીબ તરીકે માગે પણ જેન તરીકે તો નહિ જ. જેને જમાનાની ગરજ છે, તે પૈસો પણ જમાના પાસે માગે, અહીં શું કામ માગે? કેળવણી કે શિક્ષણ માટે પૈસો માગવા આવે, ત્યાં શરત કરો કે હેત તારવાનો છે, પણ ડુબાડવાનો નથી. આવી તપાસ વિના ચલાવ્યે રાખશો, તો લક્ષ્મીનો દુરુપયોગ થશે અને તમારી જ લક્ષ્મીના યોગે ધર્મના ઘાતક થઈ જવાશે. અરે, આજના કેટલાક કૃતનો તો જેના પૈસે ભણ્યા છે, તેને પણ બેવકૂફ, અંધશ્રદ્ધાળ. ધર્મના હીંગલા વગેરે કહીને એમની પાસેથી મેળવેલી મદદની સાર્થકતા (?) કરી રહ્યા છે ! તમારા જ પૈસે ભણેલા તમને જ ખોટી રીતે અંધશ્રદ્ધાળુ, બેવકૂફ, અને ધર્મના ઢીંગલા કહે છે ! સંઘો પાસે ખોટા ઠરાવોની અપીલ કરે છે અને શાસ્ત્રવિરુદ્ધ આચરણાઓ કરે છે. આ બધું સમજીને અને સમય જોઈને બોલાય છે. બોલ્યા વિના છૂટકો નથી માટે જ બોલાય છે. તેમ કરતાં આવતી તમામ આપત્તિ સહેવાની તૈયારી હોવી જ જોઈએ. આ વખતે છતી શક્તિએ ન બોલાય, તો શાસનના નિમકહરામ બનાય છે. એ કલંક ન લાગવા દેવા માટે જ બોલાય છે. તમે પણ ખોટી શરમમાં ન જાઓ – ધર્મના વિરોધીઓના સંસર્ગથી તમારા મકાનને અપવિત્ર ન બનાવો. એમને નાલાયક કહેવાની તાકાત ન હોય, તો એમ કહો કે “અમે અંધશ્રદ્ધાળુ છીએ, માટે તમારા જેવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy