SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૭ : શિક્ષણનો હેતુ શો ?- 44 કે ‘નહિ ભણે તો ખાશે શું ? અને વગર ભયે પૂછશે કોણ ?” છોકરો પણ સમજે કે ‘ભણીને પેઢી ઉપર બેસવાનું છે. બાપાજી કરે તેમ કરવાનું છે. ગ્રાહકની સાથે બાપાજી ચાલબાજી કરે તે શીખવાની છે. આંખના ઇશારે વાતો કરી કામ કાઢી લેવાનું શીખવાનું છે.’ જ્યાં આ રીતે કેવળ અર્થ અને કામની જ સાધના માટે જ શિક્ષણની વાત ચાલતી હોય, ત્યાં જૈન સમાજના ઉદય માટે શિક્ષણ અપાય છે, એ કઈ રીતે મનાય ? ઉદય માટેના શિક્ષણ માટે તો બધુંયે સમર્પણ ક૨વું જોઈએ. પણ તે છે કાં ? આવી વાતો આજના ધર્મભાવથી રહિત બનેલાઓને ટોણારૂપ લાગે છે. એથી તેઓ કહે છે કે ‘મહારાજ ટોણા બહુ મારે છે, મહારાજે તો બસ સીધું સીધું વાંચ્યે જ જવું જોઈએ. ‘તમે શું કરો છો ?’ એવું મહારાજે પૂછવું કરવું ન જોઈએ.’ પણ જો હું એમ ને એમ સીધું વાંચું, તો તેમાં શ્રી શ્રેણિક મહારાજાની વાત આવે એટલે તેઓએ નક્કી જ કરેલું છે કે ‘આ તો બધું શ્રી શ્રેણિક મહારાજા માટે, સાધુની વાત આવે તે સાધુ માટે અને શ્રાવકની વાત તે તેવા શ્રાવક માટે, પણ આપણા માટે કાંઈ જ નહિ.’ આવી જે ભાવના આવી છે, તેને કાઢવા માટે જ તમારા કહેવાતા ટોણા મરાય છે, કારણ કે એ ભાવના નીકળી જાય તો જે જાતનું પરિવર્તન કરવા માગીએ છીએ, તે તરત જ થાય. વર્ષો સુધી અભ્યાસ કર્યા બાદ, કૉલેજથી બહાર નીકળ્યા બાદ, કહી દે કે ‘સર્વજ્ઞ એ હમ્બગ.’ શું આનું નામ શિક્ષણ છે ? સભા : અરે, કહે છે કે દેરાસરમાં જવાથી લાભ શો ? એટલે એનો તો ‘બંગલામાં, બગીચામાં, નાટકમાં અને સિનેમા આદિમાં જ લાભ’ - આ જ અર્થને ? ભણેલો માણસ ‘દેરાં ન જોઈએ, ઉપાશ્રય ન જોઈએ, સાધુ ન જોઈએ' - એમ બોલી નાખે, એ શું તાજ્જુબીની વાત નથી ? ‘જર્મની શું કરે છે, ફ્રાન્સ કેમ આગળ આવ્યું, જર્મની શાથી હાર્યું, બ્રિટન કેમ ફાવ્યું’ – આ બધામાં યુક્તિ-દલીલ આવડે, એ આદમી આટલું પણ ન જાણે; એ શું સંભવિત છે ? ‘રાજતંત્ર કેમ ચલાવાય, રાજા કેવા હોય, મંત્રી કેવા જોઈએ. સેનાપતિ કેવા જોઈએ, સેના કેવી જોઈએ' એ બધી વાતો કરતાં આવડે એવાઓ અહીં સમજી નથી શકતા એમ નથી, સમજી શકે છે જરૂર, પણ એમનામાં જે જાતના સંસ્કાર પ્રવેશવા જોઈતા હતા તે પ્રવેશ્યા જ નથી, એનું જ આ અનિષ્ટ પરિણામ છે. જેની વિદ્યાને એ લે છે તેણે પણ ‘ચર્ચ' તો રાખ્યાં છે. સાત દિવસમાં એક દિવસ રવિવારે તો જાય છે. ઈશ્વરને આત્માને માનતા Jain Education International For Private & Personal Use Only ૯૭ www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy