SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૭ : શિક્ષણનો હેતુ શો ?- 44 અને એમાં સ્વપરહિત પણ રહેલું છે. લખતો, બોલતો અને વાંચતો થાય, એને ‘હું કોણ’ એવો વિચાર પણ ન આવે, તો પછી તેને ભણેલો કોણ કહે ? ‘આ થાય ને આ ન થાય' આવો વિવેક પણ જેને ન આવે તેને ભણેલો કેમ કહેવાય ? 621 આજે તો ‘ભણેલો કોણ ?’ એના જવાબમાં ‘હું' : અને એ ‘હું'માંથી નીકળતા બધા ફુંફાડા, પોતાને અને પ૨ને બધાને બાળે એવા જ નીકળે છે. જે આદમીને જેમ જેમ કાયદાનું જ્ઞાન વધે, તે આદમી તેમ તેમ હરામખોરીમાં વધે કે પાછો પડે ? દોષમાંથી બચવાને બદલે આજે તો દોષને એવી રીતે કેળવાય છે કે દોષને ગુણ તરીકે ઓળખાવાય છે. ૯૩ આજે અપરાધને ગુણરૂપે બતાવવાની સાધના સાધનાર બહુ હોશિયાર લેખાય છે. દોષી બચવાનું તો દૂર રહ્યું, પણ ઊલટું એમાં ગુણારોપણ કરી કહે કે ‘એમાં વાંધો શો ? અમુક યોગ્યતાવાળો આદમી અમુક હાલતમાં ફસાય, તો પતિત ન થાય તે માટે બતાવેલી બારીને, આજે માર્ગ ગણવામાં આવે છે. સંવત્સરી પ્રતિક્રમણ કરનારનાં બારે મહિનાનાં પાપ જાય અગર પાતળાં થાય એ કબૂલ, પણ કયારે ? રોજ પ્રતિક્રમણ કરતો હોય તેને ભાવનાની વિશુદ્ધિ તે દિવસે તથાપ્રકારની આવી જાય તો એમ બને, અને રોજના પ્રતિક્રમણમાં વિશુદ્ધિ તો થતી જ હોય ! પણ આજે તો મૂર્ખાઓમાં એમ મનાય છે કે સંવત્સરી પ્રતિક્રમણ કર્યું એટલે બારે મહિનાનાં પાપ ગયાં. એટલે પછી રોજ પ્રતિક્રમણની જાણે જરૂર જ નહિ. ખરેખર, આ ભયંકર માન્યતા છે ! દિવાળીને દિવસે ઘરનું આંગણું દીપતું કરી તિલક આદિ કરાય, પણ એ આંગણું એવું ક્યારે બને ? રોજ સાફ રહેતું હોય તો ને ! બારે માસ સાફ ક૨વામાં ન આવે, કચરો રાખી જ મૂકવામાં આવે તો શું થાય ? ત્રણસો સાઠમે દિવસે કઈ સાવરણીથી તે સાફ થાય ? બારે માસ બંધ રહેલા ઘરમાં તો પેસવું પણ ભારે થઈ પડે. જ્ઞાનીએ સાધુ તથા શ્રાવક માટે રોજ ક્રિયા નિયત કરી, એનું કારણ શું ? એ જ કે એ ક્રિયાથી આત્મા પ્રતિદિન શુદ્ધ જ બનતો જાય. કદાચ આ ક્રિયા કોઈથી ન થાય અને એ ન કરે, તો માનો કે ચાલે, પણ રૂચે જ નહિ એ કેમ ચાલે ? અને એ જૈનશાસનનો અનુયાયી શી રીતે ? ભગવાનને માનવા, પણ ભગવાને કહ્યું તે જ ન માનવું એ કેમ ચાલે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy