SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨ -- - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૩ - - - - 60 સ્વભાવ તો તારવાનો છે, પણ તેને પામનારો આત્મા જ એવો, કે જે તરે નહિ પણ ડૂબે, તો તેથી દ્વાદશાંગી એ ડુબાડનાર છે એમ ન કહેવાય. અને શાણા આત્માનો સ્વભાવ જ કરવાનો હોય એટલે તે ખરાબ ચીજમાં પડ્યા છતાં પણ સાવધતાથી તરે, તેથી ખરાબ ચીજ તારનાર ન કહેવાય. સારી ચીજથી અયોગ્ય આત્મા ખોટું પરિણામ પણ નિપજાવે અને ખોટી ચીજથી યોગ્ય આત્મા સારું પરિણામ પણ નિપજાવે. એટલા ઉપરથી વસ્તુમાંનું ખોટાપણું કે સારાપણું નીકળી જતું નથી. જે શુદ્ધ જ્ઞાનથી યોગ્ય આત્મા કર્મનો ક્ષય કરે, તે જ શુદ્ધ જ્ઞાનથી બીજો આત્મા કર્મ બાંધે, તેમાં તે શુદ્ધ જ્ઞાનનો દોષ નથી જ. શિક્ષણ દેતાં તથા લેતાં પહેલા જે ભાવના હોવી જોઈએ, તેનો અભાવ હોવાથી આજનું શિક્ષણ ફળીભૂત થતું નથી અને સામાન્ય રીતે અનર્થકારી પણ નીવડે છે. જ્ઞાનની પ્રાપ્તિ માટે પણ આઠ આચારોને સેવવાનું શાસ્ત્ર કહે છે. જ્ઞાન ભણતાં કાળ સમયને પણ સાચવવો, વિનયને પણ સાચવવો, જ્ઞાન તથા જ્ઞાનીનું બહુમાન પણ સાચવવું, વિધાન મુજબ તથાવિધ તપ પણ કરવો, ગુરુને નહિ ઓળવવા, શબ્દ-અર્થ તથા એ બેય જે પ્રકારના હોય તે પ્રકારે જ ભણવા તથા કહેવા, વગેરે. જ્ઞાન સફળ થાય તે માટે જ્ઞાન લેતાં પહેલાં વિનય જોઈએ. એ વિનય ન હોય તો અજીર્ણ જ થાય. ભોજન લેતાં પહેલાં રુચિ જ ન હોય ને જમાય તો પરિણામે પથારી જ આવે. જે વસ્તુ લેવા માટે જે યોગ્યતા જોઈએ, તેની અવગણના કરાય તો તે વસ્તુ કઈ રીતે લાભ આપે ? શિક્ષણ લેતાં કે દેતાં પહેલાં રુચિ કેળવતાં શીખો. આંક તથા કક્કો શા માટે શીખવો ? કક્કો શીખીને ખોટાં ખત નથી લખાતાં ? માતાપિતા કઈ મનોવૃત્તિથી કક્કો શીખવાડે ? અહીં કક્કો શીખવાની “ના” કહેવામાં આવે છે એમ ન માનતા. ભણાવવાનો ઇરાદો શુદ્ધ હોય તો તે ઇરાદો બાળકના કાનમાં પડવો જોઈએ, અને તે ઓછો ભણેલ હોવા છતાં પણ જે લાભ કરશે તે વધુ ભણેલો નહિ કરે. આજે આ ખામી છે. શિક્ષણ લેતાં પહેલાં, સાથે અને પછી જે ભાવના જોઈએ, તેનો લોપ થયો છે. તે બાબતની કોઈ જ રીતે ઉપેક્ષા થઈ શકે ? તેમ નથી. સત્ય માર્ગ દર્શાવી દેવો, અસત્ય માર્ગને ગેરલાભ જણાવવા અને સત્યના સેવન તથા અસત્યના ત્યાગ તરફ જગતને દોરવું, એ ફરજ દરેક સમજુની છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy