SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ સત્યને પ્રાય શોધી શકે છે અને કદાચ તેમ ન બને તો પણ એ વાચક વાચકના વચનને 'દોષિત માનવા ન પ્રેરાતાં, કોઈ જ્ઞાની પાસેથી ખુલાસો મેળવવા જ પ્રેરાય છે; આટલું છતાંય જો તે નથી સમજી શકતો, તો પણ તે માને કે, “શાસ્ત્ર ગહન છે અને મતિ અલ્પ છે. પરિણામે તે ઊંધી દિશાએ નહિ દોરવાતાં સત્યને પામી શકે છે, માટે જ મોક્ષમાર્ગરૂપ સમ્યગ્દર્શનસમ્યજ્ઞાન અને સમ્યફચારિત્રમાં સમ્યગ્દર્શનને પ્રથમ મૂકેલ છે. સમ્યગ્દર્શન એટલે શ્રી જિનેશ્વર દેવે કહેલાં તત્ત્વોની શ્રદ્ધા અને રુચિ.' અવિશ્વાસના યોગે? આથી વિરુદ્ધ જેઓને વાચક ઉપર વિશ્વાસ નથી હોતો, તેઓ તો વાચકનાં વચનોને પોતાની બુદ્ધિની કસોટીએ ચડાવે છે અને પોતાની અલ્પ બુદ્ધિના યોગે ન સમજાતાં, એ વચનોને દોષિત માની લે છે. આમ જિજ્ઞાસા વૃત્તિ' મરી જ્યાં તે સહેજે ઉન્માર્ગે દોરાય છે. ત્રિકાલજ્ઞાની' સર્વ જે વસ્તુ નિર્દિષ્ટ કરી તેની સમજ શક્ય છે કે, “અલ્પજ્ઞાની એવા આપણને ન પણ પડે, પરંતુ તેથી વસ્તુને જખોટી માની લેવાય, તો પરિણામે આપણે ડૂબીએ અને બીજાને ડુબાવીએ. સમર્થ શાસ્ત્રકારોએ પણ જ્યાં ગહનતા અનુભવી ને ન સમજાયું, ત્યાં કહી દીધું કે; “તત્ત્વ તુ ગમ્” તત્ત્વ જ્ઞાની જાણે અને એ રીતે ભવિષ્યની પ્રજાને માટે જેવું ને તેવું નિર્દોષ અને નિર્વિકાર જ્ઞાન મૂક્યું. આજે જૈન સમાજમાં પોતાને સુધારક તરીકે ઓળખાવનારાઓનાં ‘કૉન્ફરન્સને યુવક સંઘનાં મંડળની ઉત્પત્તિનું અને હયાતીનું કારણ પણ એ જ છે કે, તેઓ પોતાના ‘મલીન માનસને અનુકૂળ આવે તે રૂપમાં શાસ્ત્રાજ્ઞાઓને ફેરવવા માગે છે અને માટે જ ‘નિર્મલ શાસ્ત્રોને વિકારી સાહિત્યનું, કેવલ સ્વ-પર કલ્યાણાર્થે શાસ્ત્રરચના કરનારા ‘ઉપકારીઓને સ્વાર્થી' - 'ઈન્દ્રજાલીયા અને ઇતિહાસની કલંકિત આવૃત્તિ જેવાં વિશેષણો તેઓ દ્વારા અપાયાં છે ! એટલે વાચકના સારા પણ વચન ઉપર વિશ્વાસ પેદા કરવાને માટે વાચક ઉપરનો વિશ્વાસ અનિવાર્ય છે. ગ્રંથકારનો પરિચય શા માટે ? આ વીસમી સદીના પરમ પ્રભાવક, પાંચાલ દેશોદ્ધારક, સ્વર્ગસ્થ ન્યાયામ્મોનિધિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરજી મહારાજશ્રીની પ્રભાવક પાટે, સકલ સાધુ મંડળ અને શ્રાદ્ધસમૂહ દ્વારા સ્થપાયેલા અનન્ય પટ્ટધર, સદ્ધર્મસંરક્ષક સૂરિપુરંદર શ્રીમદ્ વિજયકમલસૂરીશ્વરજી મહારાજશ્રીના પટ્ટ પ્રભાવક, સદ્ભાગમ રહસ્યવેદી આચાર્યદેવ શ્રીમદ્ વિજયદાનસૂરિવરના પરમ વિનય, સિદ્ધાન્ત મહોદધિ મહોપાધ્યાય શ્રીમદ્ પ્રેમવિજયજી ગણિવરના શિષ્યરત્ન, બાલ બ્રહ્મચારી, શાસન પ્રભાવક, સમર્થ વિદ્વાન, ગ્રંથ અને ગ્રંથકાર 3 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy