SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન વાચસ્પતિ, પંન્યાસપ્રવર શ્રીમદ્ રામવિજયજી ગણિવર, એ આ પુસ્તકમાં પ્રસિદ્ધ થતાં ધાર્મિક વ્યાખ્યાનોના દાતા છે. આજે જૈન અને જૈનેતર જ્ગત એઓશ્રીને જુદી જુદી દૃષ્ટિએ જાણે છે અને તે ત્યાં સુધી કે, એ મહાત્માનો પરિચય આપવાને માત્ર નામનિર્દેશ પણ બસ ગણાય. પરંતુ આજે ‘જૈન કુલોમાં જ્ન્મવા પૂરતી જ યોગ્યતાથી’ પોતાને ‘જૈન’ મનાવી રહેલા અને ‘જૈનત્વનો દ્રોહ કરનારાં કાર્યો કરનારાઓ'એ, છાપાંની દેવડીએ ઉભી જ્ગતને એ મહાત્માના ‘વાસ્તવિક સ્વરૂપથી' અપરિચિત રાખવાના અને તદ્દન ખોટા સ્વરૂપે ચીતરવાના એટલા ‘અધમ’ અને એટલા ‘ક્ષુદ્ર’ પ્રયાસો કર્યા છે, કે જેથી અનેક અજ્ઞાન જૈનો અને જૈનેતરો એ મહાત્માની વાસ્તવિકતાથી જ અજાણ છે; એટલું જનહિ પણ ઘણાઓ તો એઓશ્રીને માટે તદ્દન વિપરીત જ્ઞાન જધરાવે છે. આવાઓ જ્યારે ‘આયાસે’ કે ‘અનાયાસે’ એ મહાત્માના સીધા ‘પરિચય'માં આવી શકે છે, ત્યારે તેઓ ખૂબ ખૂબ પશ્ચાત્તાપપૂર્વક પોતાની ‘અજ્ઞાનતા’ સ્વીકારી, સ્વાર્થ સાધના માટે અનેક અસત્યોના આશ્રયે જીવતા એ ‘ધર્મદ્રોહીઓ'ને પોતાનું આત્મધન હરી લેનાર 'ચોટ્ટાઓ' કે આત્મહિતને હણનારા ‘ખૂનીઓ' માને છે અને માન્યા છે. એટલે આ પૂ. પ્રવચનકાર મહાત્મા સંબંધી કેટલાક ખુલાસા કરવા આ સ્થાને સુયોગ્ય લાગે છે. ગ્રંથકાર : બાળવયમાં જૈનદીક્ષા અંગીકાર કરીને, પૂજ્ય ગુરુદેવોના જીવનમાંથી સંસ્કાર પામીને, વ્યાકરણ, ન્યાય, ષડ્દર્શન આદિ વિષયોમાં નિષ્ણાત બની શાસ્ત્રોના અવલોકનમાંથી સજ્ઞાન પામીને અને પોતાના આત્માને ચારિત્રવાન્ અને ખૂબ ‘ઉપકાર પરાયણ' બનાવીને, આ પ્રવચનકાર પંન્યાસપ્રવરશ્રીએ, જૈન નતામાં કોઈ ‘દિવ્ય સચેતના' પેદા કરી છે. પોતાની પ્રભાભરી વક્તૃત્વ શક્તિ દ્વારા એમણે અનેક આત્માઓની ‘જીવન જ્યોત'ને ાવી છે. વિષય અને કષાયમાં ડૂબેલા, અજ્ઞાનમાં સડતા, સન્માર્ગથી અપરિચિત, ધર્મહીન પશુજીવન જીવનારા અને એવાં એવાં અનેકવિધ પાપોમાં જીવન બરબાદ કરનારાઓને આ મહાત્માનાં નીડર પ્રવચનોએ ‘જીવન મુક્તિ’ના સાધક સંયમ માર્ગે દોર્યા છે. જૈનકુળમાં જ્ગ્યા છતાં જૈનત્વથી અપરિચિતોને જૈનત્વની ‘જાણ' કરાવી છે, સાચા જૈન બનાવ્યા છે. આત્મા, પુણ્ય, પાપ, પરલોક વગેરેમાં શ્રદ્ધા ઉત્પન્ન કરી કેટલાયને ‘પાપભીરુ’ બનાવ્યા છે. ત્યાગ, વિરાગ, નિઃસ્પૃહતા અને નિઃસંગતાની વાંછા તેવા જ્મોમાં પણ ઉત્પન્ન કરી છે કે, જેઓ ભોગસુખની સાધના પાછળ ગાંડા-ઘેલા બનેલા હતા. આવી અનેક બાલ જીવોની ઉદ્ધારક વિભૂતિનો જ્ગતને પરિચય કરાવવો, એ પણ ‘પુણ્યકાર્ય’ છે અને જ્યારે જડ ગ્રંથ અને ગ્રંથકાર 4 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy