SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ફરમાન મુજબ જ કરાય અને એમ કરવાનો હેતુ પણ માત્ર ગતના આત્મહિત પૂરતો જ હોવો જોઈએ. અર્થાત્ શ્રી જિનેશ્વર દેવના સાધુઓ અનંતજ્ઞાનીએ ઉપદેશેલ આચારનો જ ઉપદેશ આપી શકે અને તે પણ mતને એ આચારનું રાગી બનાવી, એ આચારમાં જોડવાના જ હેતુથી ! આ જ કારણે કોઈ પણ જૈન સાધુ ન તો મનથી, ન તો વચનથી કે ન તો કાયાથી સંસાર (દુરાચાર) પોષક અથવા સંયમ (સદાચાર) શોષક વિચાર વિચારી શકે, કથન કહી શકે કે ક્રિયા કરી શકે ! એઓ જે કાંઈ વિચારી શકતા હોય, કહી શકતા હોય કે કરી શકતા હોય, તો તે માત્ર ભગવાન્ શ્રી મહાવીર દેવે કહેલ આચાર જ, સદાચાર જ છે. એટલે આવા ગ્રંથના આધારે થયેલાં પ્રવચનોમાં પણ એજ સદાચારનું પોષણ અને તેટલા જેખાતર દુરાચારનું ઉન્મેલન હોવું જ જોઈએ અને તે છે; કારણ કે, આ ગ્રંથમાં મૂકાયેલાં પ્રવચનોના દાતા એક તે મહાત્ જેનસાધુ છે, કે જેમણે પોતાનું જીવન બ્રહચર્યાવસ્થામાંથી જ શાસનને સમર્પી દઈને, સ્વ-પર કલ્યાણ સાધનામાં વિપુલને ‘પ્રચંડ' એવા પ્રતિકૂળ સંયોગો વચ્ચે પણ મક્કમતા દાખવી છે અને દાખવ્યે જાય છે, જેમનું ધ્યેય જ એક માત્ર વિશ્વને સંપૂર્ણ. સ્થાયી અને દુઃખના લેશથી રહિત સુખ પ્રાપ્ત કરાવવાનું છે અને માટે જ તેઓએ માનવ જીવનમાં અને ખાસ કરીને જેન જીવનમાં જડ ઘાલી ચૂકેલા અનેકાનેક ઝીણા ઝીણા છતાં આત્મનાશ કરી રહેલા દોષોનું નિદર્શન કરાવીને, સદાચારનું સમર્થન કર્યું છે. અસ્તુ. વાચકનો વિશ્વાસ : હવે પ્રસ્તુત ગ્રંથના સંબંધમાં વિશેષ ઊંડે ઊતરતાં પૂર્વે, ગ્રંથકારનો પરિચય આપવો આવશ્યક છે. કારણ કે, “પુરુષવિશ્વાસે વનવિશ્વાસ:” “વાચક પ્રત્યેના વિશ્વાસથી વચન પ્રત્યે વિશ્વાસ ન્મે છે.” એવું જ્ઞાની પુરુષોનું કથન છે અને તે સત્ય જ છે. કેવલ વચન' ઉપરથી જ એના વાચકને વિષે મત બાંધવામાં ઘણીવાર “ભૂલ' થવાનો સંભવ રહે છે. વચનનો વિશ્વાસ એના વાચક પ્રતિના વિશ્વાસને વધુ અવલંબેલો છે. વાચક ઉપર વિશ્વાસ આવ્યા બાદ, જ્યારે જ્યારે ગહન વિષયમાં ‘શંકા ઉપસ્થિત થાય છે અને એ વચનની ગહનતા સુધી વાચકની બુદ્ધિ પહોંચી શકતી નથી, ત્યારે ત્યારે એ કંટાળીને પણ વાચકના વચનને અસત્ય'માનવા પ્રેરાતો નથી. પરંતુ એની ‘અગમ્યતાને શોધવા મથે છે. આમ થતાં એનું ખૂબ મનનને પરિશીલન કરતાં વાચકની ગહનતાના વમળમાં અટવાયેલી બુદ્ધિ [ 2 ] ગ્રંથ અને ગ્રંથકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy