SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ 615 – ૬ : સમ્યજ્ઞાન અને મિથ્યાશાન વચ્ચેનો ભેદ : - 43 – ૮૭ આત્મશુદ્ધિ વધે તે તો લક્ષ્મી જાય કે આવે તો પણ સમાન જ દશામાં રહે. અહીંની કેળવણીવાળો દરિદ્રી પણ સુખી અને અહીંની કેળવણી વગરનો ગમે તેવો વિદ્વાન પણ જરા વિષમતા આવે કે તરત જ લમણે હાથ દે. કોઈ આસામી તૂટે તો કહે કે “મરી ગયો બાપ ! રોટલોયે ગયો ને ઓટલોયે ગયો !” જડની સોબતથી જો સુખ મળતું હોત, તો શ્રી તીર્થકરદેવ જેવા ભિક્ષાવૃત્તિ અંગીકાર ન કરત. દીક્ષા, એ કેવળ ભિક્ષુકોએ નથી લીધી, કંકને ચપટીમાં ચોળવાનું સામર્થ્ય ધરાવનારાઓએ પણ લીધી છે. તમે કોણ ? સભા : શ્રી જિનેશ્વરદેવનું શાસન પામવા છતાં વિરુદ્ધ પ્રવૃત્તિ કેમ કરે? શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા વિરુદ્ધ પ્રવૃત્તિ કરે તે કાં તો પામ્યો નથી, અને પામ્યો હોય તો વર્તમાનમાં હારી ગયો છે અને માનો કે વર્તમાનમાં તો માત્ર નાટકનો વેષ જ ભજવે છે. શ્રી જિનેશ્વરદેવના શાસનને પામેલો, જમાનાને કે સમયને અનુકૂળ આગમને બનાવવાનો પ્રયત્ન ન કરે. પણ આગમને અનુકૂળ જમાનાને કે સમયને બનાવવાનો પ્રયત્ન કરે. જે આગમ છોડે, આજ્ઞા અવગણે, તે શું બોલે એ કહેવાય નહિ. એ બોલનારને પોતાને પણ ભાન ન હોય. નાટકના સ્ટેજ પરનો નટ પણ ભેગા થયેલા ઑડિયન્સને રાજી કરી, તાલી પડાવી, “વન્સ મોર' ક્યારે લઈ શકે ? જે રીતે પાઠ ઘડાયો હોય, નાયકે જે રીતે શીખવ્યો હોય, જે અક્ષરો જે રીતે જ્યાં જ્યાં બોલવાના હોય, જે અભિનય કરવાનો હોય, તે જ રીતે બધું કરે તો જ એ નટ તાલીથી વધાવાય અને તેને માટે ‘વન્સ મોર” થાય, પણ જરા ફેરફાર થાય તો ન તાલી કે ન “વન્સ મોર'! જેવો આવ્યો તેવો ટેં-ટું કરીને ચાલ્યો જ જાય. સામાન્ય પગારદાર નટ પણ આટલું કરે, તો આને માટે કંઈ જ નહિ કરવાનું એમ ? સભા: ત્યાં ચાબકા મારનાર છે, અહીં નથી. ના, ના, એમ નથી. રોટલા આપનારની અક્કલ બહેર મારી ગઈ છે એથી. કહો ને કે પેઢીનો મુનીમ વેપારના ભાવતાલ હોય તે કહે કે મરજી મુજબ કહે ? જે સ્થાન પર બેસો તેને શોભાવો. સ્થાન ખામીવાળું લાગે તો એ સ્થાન છોડી દો, પણ સ્થાન પર બેસવું અને બોલવું બીજું તે કેમ ચાલે? શ્રી જિનેશ્વરદેવનું આગમ મને ન ગમે, તો મારે કહી દેવું જોઈએ કે “મને ચતું નથી, માટે આ ઓઘો દૂર.' જે એમ કહે તે મહાઉપકારી, કારણ કે એને પહોંચાય ! પણ જેને આ શાસન ગમે નહિ, તથા આજ્ઞા અવગણવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy