SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૩ આવશ્યક, સામાયિક, વ્યાખ્યાન અને આત્મહિતકર ભણવાગણવામાં કેટલો ટાઇમ ? તમારું ટાઇમટેબલ તો કાઢો ! ઊંધમાં કેટલા કલાક ? બાર, દશ કે આઠ ? આઠ ગણો, પછી ખાવામાં કેટલા કલાક ? ખાવું કેટલી વખત ? આ બધી ક્રિયા આત્માની કે શરીરની ? આમાં આત્મા યાદ આવે છે ? શરીર વળગ્યું છે, ત્યાં સુધી આત્માનું પૂર્ણ ભલું થવાનું નથી. તમારી ને અમારી વચ્ચે વિરોધ જ એ છે. ૮ કેળવણી જોઈએ એ વાત સાચી, પણ જૈનસમાજને કઈ કેળવણી મળે તો ઉદય થાય ? શાસ્ત્રે ત્રણ પ્રકારની કેળવણી કહી. ધર્મકથાનુયોગ, ગણિતાનુયોગ અને દ્રવ્યાનુયોગ. આ શા માટે ? ત્યાગની રુચિ વધે અને પરિણામે ત્યાગની પ્રાપ્તિ થાય એ માટે ! આ કેળવણીનો પ્રચાર કરવો જ જોઈએ. કારણ કે એથી ત્યાગની રુચિ વધે અને પ્રાપ્તિ થાય. ત્યાગની રુચિ અને પ્રાપ્તિવાળા બનેલા દુનિયાના સર્વ પ્રાણી પ્રત્યે શાંતિદાયક બને. સ્વયં તરે અને બીજાને તારે. આ કેળવણી અપાય છે ? નહિ જ, આજે તો કોઈ જુદી જ કેળવણીની બૂમ પાડે છે. બાકી હેયનો ત્યાગ અને ઉપાદેયનો આદર કરાવનાર કેળવણી તો જન્મતાંથી તે મરતાં સુધી આપવી જોઈએ. આ કેળવણી આપવામાં તો સાધુ પણ તનતોડ મહેનત કરે. એને માટે જૈનશાસનમાં દાનના દરવાજા ઉઘાડા હોવા જ જોઈએ. આને માટે દાતારો દેવામાં કશી જ કમી ન રાખે. 614 આત્મા સુયોગ્ય બને ત્યાં સાહ્યબી તો ગુલામ છે. આત્મા ન કેળવાય તો છતી સાહ્યબીએ ગુલામી જ છે. પ્રત્યક્ષ છે કે આત્મસ્વરૂપ પ્રગટ કરવા જેણે સર્વસ્વનો ત્યાગ કર્યો, તે સ્વપરના તારકના ચરણે સર્વસ્વ ધરાય છે, ત્યાં ભલભલા શિર ઝુકાવે છે. જેણે છોડ્યું નથી અને છોડવાની ઇચ્છા પણ નથી, તેના હૈયામાં ચોવીસે કલાક ચિંતાની સગડી સળગ્યા કરે છે. એને કંઈ પણ કહો તો કહેશે કે ‘ટાઇમ નથી.’ પ્રભુપૂજા માટે ‘ફુરસદ નથી.’ સામાયિક ‘ફાવતું નથી.’ અને પ્રતિક્રમણમાં ‘ટેસ્ટ નથી પડતો.’ આજની કેળવણી પૈસા ખેંચી લાવશે એમ ? આજના કેળવાયેલાની હાલત તો વિચારો ! ખુરશીએ બેસવાને ટેવાયેલાને બેસવા કોથળો પણ નથી મળતો. છાતી કાઢી ચાલનારો જ્યાં ત્યાં નીચી મૂંડીએ ચાલે છે ! પૂછો કે ‘સ્વતંત્રતા કાં ગઈ ?’ એનો ઉત્તર નહિ, પણ ‘અર્થકામને ચરણે એની સ્વતંત્રતા સમર્પાઈ જ ગયેલી છે' એમ સમજો. જ્યારે આત્મા કેળવણીવાળો થાય, એટલે કે જેની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy