SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૩ - 60 ધર્મની રક્ષા માટે, સત્ય સાચવવા માટે, ખરેખર, આ સમય બહુ જ ભયંકર છે. બધી સ્થિતિ અહીં ખોવી પડશે. પૈસો, પાઘડી, નાક અને જાન પણ જાય, તો પણ સત્યના અર્થીએ આત્મશ્રેય કાજે સત્યના પડખે ઊભું રહેવું પડશે. સંસારમાં રહેલ ગૃહસ્થથી પૃથ્વીકાય, અષ્કાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય અને ત્રસકાયની હિંસા થઈ જાય છે. પણ એ કરતાં જો એનું અંતર કંપે નહિ, મૂંઝાય નહિ, તો હું એને શ્રાવક-સમ્યગ્દષ્ટિ તો નથી માનતો, પણ દુનિયાનો સામાન્ય આસ્તિક પણ નથી માનતો. આસ્તિકને કાંઈ ખાસ ચિહ્ન નથી હોતું અને નાસ્તિકના માથે શીંગડાં નથી હોતાં. ખરી પરીક્ષા જ અહીં છે. દરેક દર્શનકાર, પાપને પાપ તો માને છે. જેની જરૂરિયાત તેમાં પાપ નહિ આવી જો માન્યતા થઈ જાય, તો તો જગતમાં પાપનું નામ જ રહે નહિ. જરૂર વિના કરું છું, એવું કોણ કહેશે ? આજે તો વધારે ભાડું ભરી બજારના મોખરે દુકાન લેનારને પૂછો કે ભાઈ, બરાબર આગળના ભાગમાં દુકાન કેમ લીધી ? તો, જો તે ધર્મનો ઢોંગી હશે, તો કહેશે કે “ગ્રાહકને તકલીફ ન પડે તે માટે મોખરે દુકાન લીધી છે. પણ ‘ગ્રાહક બહુ આવે માટે લીધી છે” એમ નહિ કહે. આવી દશાવાળા આત્માઓમાં ધર્મ પરિણામ પામે જકઈ રીતે ? આથી સિદ્ધ જ છે કે ચરણરાગ વગર ધર્મકથા કે તત્ત્વચિંતા ન જ ફળે. ચરણરાગ વિનાના આત્મા તો અજ્ઞાની જ રહેવાના. જૈનશાસન જયવંત ક્યારે બને? આજે કહેવામાં આવે છે કે “જૈનસમાજમાં કેળવણીની બહુ જ ખામી છે, જૈનસમાજને શિક્ષણ આપવામાં આવતું જ નથી, જૈનસમાજ બિલકુલ અજ્ઞાન જ છે, માટે તેને માટે કેળવણીની બહુ જરૂર છે. ખરી વાત, હું કહું છું કે જૈનસમાજને કેળવણીની બહુ જરૂર છે. જન્મ્યા ત્યારથી મરવા સુધી જરૂર છે. જન્મથી મરણ પર્યત જે જાતની કેળવણી આપવી જોઈએ, તે જાતની કેળવણી જૈન સમાજને કયાં અપાય છે ? અને એ કેળવણી ન અપાય, ત્યાં સુધી જૈનજાતિની આબાદી કોઈ કાળે પણ થાય નહિ, એ તદ્દન સીધી, સાદી અને સ્વાભાવિક વાત છે. હિંદુસ્તાનમાં અગર બીજે, જૈનશાસન જીવવું છે, એવું બતાવવા તમારે શું કરવું જોઈએ ? તમારામાં શું જુએ તો સામાને જૈનશાસન જીવતું લાગે ? તમારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy