SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૩ - થાય ? આ ગ્રંથોના લખનારા ત્યાગી હતા, તો એવા ત્યાગી પુરુષોએ પણ શેઠશાહુકારોનાં, રાજામહારાજાઓ વગેરેનાં ચરિત્રો લખ્યાં, એનો હેતુ શો ? એ ગમે તેવા રિદ્ધિસિદ્ધિવાળા, પણ તેઓની સાથે આ મહાત્માઓને સંબંધ શો ? બધાનાં જીવન આ મહાપુરુષોએ શા માટે લખ્યાં ? રાજાની સેના આટલી, સામંત રાજા આટલા, દેશ આટલા, આ બધું તમારી પાસે રજૂ કરવાનો હેતુ શો ? આ હેતુ હાથમાં ન આવે, ત્યાં સુધી એમાંથી શું લેવાય ? આ હેતુ નક્કી નથી થતો, એની જ બધી ધમાલ છે. વાતવાતમાં મૂંઝવણ પણ એથી જ થાય છે. “સાધુએ દેવું શું અને શ્રાવકે લેવું શું તથા સાધુ-શ્રાવકે વર્તવું કેમ ? આ બધું જ જાણવું જોઈએ. સાધુ અને શ્રાવક બેયના શિરે આજ્ઞા તો છે જ ને ? અનંતજ્ઞાની શ્રી તીર્થંકરદેવે જ્યારે ધર્મતીર્થની સ્થાપના કરી, ત્યારે “દુનિયાના જીવો અર્થકામમાં રાચતામાચતા થાય એવું એમના હૈયામાં હશે, કે “સઘળા પરિણામે ત્યાગી અને વિરાગી થઈ, મુક્તિપદના ભોક્તા થાય એવું હશે ? આ નક્કી કરો, તો જરાયે મૂંઝવણ ન થાય. ગમે તેવા વક્તા આવે અને ફાવે તેમ કહે, તો પણ શ્રી તીર્થંકરદેવોના ધર્મતીર્થની સ્થાપનાનો હેતુ સમજો, તો મૂંઝવણ માત્ર દૂર થાય. જરાય પણ મૂંઝવણ ન થાય. શ્રી તીર્થંકરદેવે સ્થાપના કરેલા ધર્મતીર્થના હેતુને હું ખંડિત કરું, તો હું નકામો. તમે પણ એને ખંડિત કરો, તો તમે નકામા. અને જે કોઈ પણ એને ખંડિત કરે તે બધા જ નકામા ! જ્યાં સુધી તમે ધર્મતીર્થની સ્થાપનાના હેતુને ન સમજી શકો, ત્યાં સુધી તમારા હૃદયમાં ધર્મ પરિણમે શી રીતે ? સાધુ શ્રાવકને ભલે કહ્યા કરે કે “અનીતિ ન કરવી અને જૂઠું ન બોલવું' પણ શા માટે નહિ, એનો હેતુ જ્યાં સુધી નહિ સમજાય, ત્યાં સુધી તેનું વાસ્તવિક પાલન નહિ થઈ શકવાનું. જેને અર્થની અને કામની લાલસાનું ભૂત વળગ્યું હોય, તે નીતિ તથા ધર્મને આઘો જ મૂકવાના અને ખોટામાં પણ વચ્ચે દેવ, ગુરુ અને ધર્મને લાવીને ગોઠવવાના. સભા : દેવદેવીની સ્થાપના શા માટે થાય છે ? એ પ્રભુશાસનની આપત્તિ દૂર કરે છે, માટે એમને માન-સન્માન દેવામાં આવે છે. વ્યવહારમાં પણ સારું કામ કરનારનું બાવલું રખાય છે. રાજ્યમાં પણ સેનાપતિનાં બાવલાં એના શૌર્યના સ્મરણ માટે રખાય છે. સાધુનો તથા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy