SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ઉ07 – ૬ : સમ્યજ્ઞાન અને મિથ્યાજ્ઞાન વચ્ચેનો ભેદ ? - 43 – ૭૯ પશુ જેવા બનાવે એમાં આશ્ચર્ય પણ શું? ભણવામાં ચોપડીએ આગળ વધ્યા, એટલે કે બે, ત્રણ, ચાર એમ આગળ વધ્યા એ વાત સાચી અને અમુક વાંચવાની, લખવાની કે બોલવાની કળા વધી એ પણ સાચું, પણ તેનાથી આત્મા પાપથી પાછો હઠ્યો કે આગળ વધ્યો એ કદી વિચાર્યું છે ? “તમારામાં સામાને ઊંધુંચતું સમજાવવાની શક્તિ પણ વધી' એ પણ માન્યું, પણ તેનો અંતિમ ઉપયોગ કયો ? આ બધું વિચારાય નહિ ત્યાં સુધી શ્રી જિનેશ્વરદેવનું શાસન શું છે, તે કદી જ સમજી શકાય તેમ નથી. જ્ઞાન ન જોઈએ” એવું તો કોઈ જ વિચક્ષણ ન કહે, કારણ કે “જ્ઞાન વિના કોઈ પણ કાર્યની સિદ્ધિ જ નથી. સારું કામ કરવામાં પણ જ્ઞાન જોઈશે અને ખોટું કામ કરવામાં પણ; તેના જોગું પણ જ્ઞાન તો જોઈશે.” એમ સહુ કોઈ સમજે છે, પણ જ્ઞાનપ્રાપ્તિનો હેતુ તો સમજાવો જ જોઈએ. જ્ઞાની કહે છે કે આટલી આટલી તત્ત્વચિંતા કરી ઝીણામાં ઝીણી વસ્તુનું પ્રકાશન કર્યું, જીવના ભેદપ્રભેદ કહ્યા, જીવોની ઉત્પત્તિ અને નાશ વગેરેના હેતુઓ વગેરે બતાવ્યું, તે બધું હિંસાથી બચાવવા માટે, પણ વધુ હિંસક બનવા માટે નહિ ! આજે તો હમણાં જો “અમુક યોગે અમુક થાય છે' - એવું બધું બતાવીએ, તો આપોઆપ દોડ્યા આવે, પણ આનું પરિણામ શું ? કહે છે કે જ્ઞાનીએ એ બધી વસ્તુઓ કેમ ગુપ્ત રાખી ? તો એક જ હેતુથી ગુપ્ત રાખી કે એ દ્વારા આપણે આપણા અને પરના આત્માનું અહિત ન સાધીએ. મોટામાં મોટું પાપ કર્યું? ભણતર વધે તેમ માણસનું ઉચ્છંખલપણું વધે એમ માનો છો ? જેનામાં જ્ઞાન આવે તે મર્યાદાહીન બને, એ વાત ગળે ઊતરે છે? નહિ જ. “આજે જ્ઞાન વધ્યું છે ?' કહેવું પડશે કે “નથી જ વધ્યું.” જ્ઞાન નથી વધ્યું પણ શુદ્ર આડંબરો વધ્યા છે. જે આત્મામાં સાચું જ્ઞાન વધે તે આત્મામાં જ્ઞાની પુરુષોના વચનથી વિપરીત બોલવાની ઉચ્છંખલતા આવે જ નહિ. જ્ઞાની પાપથી પાછો હઠ કે પાપની સામે ધસે? અનીતિ, અન્યાય તથા પ્રપંચની સામે જાય કે એનાથી પાછો હઠે ? જે વસ્તુથી યોગ્ય બનવાની ભાવના હોય, તે વસ્તુ મેળવનારે જીવન તરફ દૃષ્ટિ ફેવી જોઈશે કે નહિ ? પુસ્તક વાંચનારની દૃષ્ટિ કઈ હોય ? ગ્રંથકાર કહે કાંઈ અને આપણે લેવું કાંઈ એમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy