SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાન - ૩ - 605 શિક્ષિત થવું એ શા માટે ?' - એનો જ વિચાર ન હોય, ત્યાં થાય પણ શું? ત્રણે અનુયોગોમાં અપૂર્વ શિક્ષણ છે. ધર્મકથાનુયોગમાં ઉત્તમ, મધ્યમ તથા અધમ એમ ત્રણેય જાતિનાં દષ્ટાંતો છે : ગણિતાનુયોગમાં દુનિયાના સર્વ પદાર્થોની ગણના છે અને દ્રવ્યાનુયોગમાં દુનિયાના સઘળા જીવોનું સ્વરૂપ ને અજીવોનું સ્વરૂપ છે. આ શિક્ષણની આવશ્યકતા કાંઈ ઓછી નથી, પણ એ સઘળું શિક્ષણ “ચરણ એટલે સર્વ પાપવ્યાપારનો ત્યાગ થાય તો જ સફળ થાય. પણ એ ત્યાગ ઉપર જે આત્માને રુચિ જ ન હોય, તે આત્માને એ જ ત્રણે અનુયોગોનું શિક્ષણ હાનિપ્રદ થાય, એમાં આશ્ચર્ય પણ શું? જ્ઞાની તો કહે છે કે શાસ્ત્રને પામી તરી જવાય. પણ જો અર્થકામની લાલસા માટે કે કેવળ આજીવિકા માટે જ આ ભણવામાં આવે, તો આ જ શાસ્ત્ર આત્માને ડુબાડનાર થાય છે. સારું છતાં ભિન્ન ઇરાદે લેવાય, તો એ આત્માનો પ્રાયઃ અધઃપાત જ કરે. તમે ભણો છો, કેળવણી લો છો, એનો હેતુ શો ? પૈસા કમાવા, બંગલા બાંધવા અને મોજશોખ કરવો એ જ ને ? મનુષ્યપણાને ખીલવવાનો હેતુ તેમાં છે? કદી વિચાર્યું છે કે “મનુષ્યપણું એટલે શું? જો ‘ના’ તો કહેવું જ પડશે કે ધર્મપણાને તો હજુ બહુ વાર છે. “સ્વપરના હિતનો વિચાર કરી વિવેકયુક્ત પ્રવૃત્તિ કરવી તેનું નામ મનુષ્યપણું છે અને ધર્મીપણું તો એથીયે ઘણું દૂર છે. આત્મામાં જેમ જેમ ઉપરની જાતનું મનુષ્યપણું ખીલતું જાય, તેમ તેમ તે આત્મા મર્યાદાશીલ બનતો જાય છે. આજે કહેવામાં આવે છે કે “અંકુશ, મર્યાદા કે બંધન, કશુંયે અમારે ન જોઈએ. અમે તો ઇચ્છા મુજબ જ વર્તવાના.” આ માન્યતા ઉપર શાસ્ત્ર ભારે આક્રમણ કરે છે અને એથી જ શાસ્ત્રની આજ્ઞા જનતાના ઉચ્છંખલ ભાગને રુચિકર નીવડતી નથી. શાસ્ત્ર તો બધે જ મર્યાદા બતાવે છે. વિચાર કરવામાં, બોલવામાં અને વર્તવામાં બધે જ દરેકને માટે મર્યાદા બતાવે છે. જ્યાં સુધી કેવળજ્ઞાન ન થાય, ત્યાં સુધી મર્યાદા વિના છૂટકો જ નથી. આજે શાસ્ત્રના એક વિભાગરૂપ ધર્મકથામાંથી શું શોધવામાં આવે છે? એક જ કે પૂર્વે લક્ષ્મી, સાહ્યબી અને રંગરાગ વગેરે કેટલાં હતાં? અને અત્યારે કેટલાં છે ? તથા એ બધું મળે કેવી રીતે ? આના પરિણામે શાસ્ત્રોમાંથી પણ સામાની આંખમાં ધૂળ નાખી સ્વાર્થ કેમ સાધવો, તેની જ પ્રેરણા આજના પામરો મેળવી રહ્યા છે. આવા ઇરાદાથી મેળવેલું જ્ઞાન આદમીને આદમી મટાડી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy