SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ઃ સમ્યજ્ઞાન અને મિથ્યાજ્ઞાન વચ્ચેનો ભેદ : | 43 • જ્ઞાન શા માટે જરૂરી છે? • જૈન સમાજને કઈ કેળવણીની જરૂર છે? • મોટામાં મોટું પાપ કર્યું ? • યોગીઓ ભોગીઓના રોટલા પર જીવતા નથી ! • જૈનશાસન જયવંત ક્યારે બને ? ... દુનિયામાં મોટામાં મોટો પાપી અને નાસ્તિક • દુનિયામાં મોટામાં મોટો પાપી અને નાસ્તિક કોણ ? કોણ ? વિષય: ચરણાનુયોગ માટે જ બાકીના ત્રણે અનુયોગનું શિક્ષણ. ત્યાગના લક્ષ્ય વિનાનું શિક્ષણ મિથ્યા, ત્યાગના લક્ષ્યવાળું શિક્ષણ સ. અનુયોગની વાતના અનુસંધાનનો જ દોર આગળ ચલાવતાં પ્રસ્તુત પ્રવચનમાં સુંદર વળાંક આપ્યો છે. શિક્ષણની પ્રાસંગિક જરૂરને લક્ષ્યમાં લઈ સાચું શિક્ષણ કયું ? આત્માને જડના સંગથી છોડાવી ત્યાગના માર્ગે જોડી સ્વભાવદશાની પ્રાપ્તિ કરાવે છે કે પછી જડનો જ સંસર્ગ કરાવી ભોગના માર્ગે જોડી વિભાવદશામાં સબડતું કરે છે ? આ મુદ્દાની આસપાસ સુંદર શબ્દો અને શબ્દસમૂહો દ્વારા અવસરે સણસણતા ચાબખા મારતા ન હોય એવી શૈલીથી આ પ્રવચન થવા પામ્યું છે. ગવર્નમેન્ટનો પટાવાળો ભલે નાનો પણ એનો સંબંધ ગવર્નમેન્ટ સાથે તેથી તેની કિંમત વધી જાય તેમ શાસનના આપણે નાના છતાં પટાવાળા બનીએ એ ભાવનાને સરસ રીતે શબ્દદેહ આપ્યો છે. ગોશાળાના પ્રસંગનો પણ સમુચિત ઉપયોગ કર્યો છે. છેલ્લે “યોગીઓ ભોગીઓના રોટલા પર જીવતા નથી' એ ફકરો તો ત્યાગી સંસ્થાની ખમીરી પર પ્રકાશ પાડવા પૂરતો છે. મુવાક્યાતૃત • સારા માણસથી ભૂંડું થાય તોયે “સારાએ ભૂંડું કર્યું એમ કહેવાય નહિ અને ખોટાથી સારું થાય તો તે “ખોટાએ સારું કર્યું” એમ કહેવાય નહિ, પણ “અનાયાસે થઈ ગયું' એમ કહેવાય. આત્મામાં જેમ જેમ ઉપરની જાતનું મનુષ્યપણું ખીલતું જાય, તેમ તેમ તે આત્મા મર્યાદાશીલ બનતો જાય છે. ગમે તેવા વક્તા આવે અને ફાવે તેમ કહે, તો પણ શ્રી તીર્થંકરદેવોના ધર્મતીર્થની સ્થાપનાનો હેતુ સમજો, તો મૂંઝવણ માત્ર દૂર થાય. જેને અર્થ-કામની લાલસાનું ભૂત વળગ્યું હોય, તે નીતિ અને ધર્મને આઘો જ મૂકવાના અને ખોટામાં પણ વચ્ચે દેવ, ગુરુ અને ધર્મને લાવીને ગોઠવવાના. ૦ આ વિશ્વમાં જે આત્મા “પાપને પાપ ન માને તે મોટામાં મોટો પાપી, મોટામાં મોટો નાસ્તિક, ઢોંગી અને ધૂર્ત છે. • “જેની જરૂરિયાત તેમાં પાપ નહિ આવી જ માન્યતા થઈ જાય, તો તો જગતમાં પાપનું નામ જ રહે નહિ. • જો ભગવાન સત્ય ન કહે, તો લાખો આત્માને અનર્થ થાય. ત્યાગની રુચિ અને પ્રાપ્તિવાળા બનેલા, દુનિયાના સર્વ પ્રાણી પ્રત્યે શાંતિદાયક બને. સ્વયં તરે અને બીજાને તારે. ૦ આત્મા સુયોગ્ય બને ત્યાં સાહ્યબી તો ગુલામ છે. આત્મા ન કેળવાય તો છતી સાહ્યબીએ ગુલામી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy