SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ 595 – ૫ શ્રી જૈનશાસનની ઉજવળ મર્યાદાઓ - 42 – ૧૭ હતા કે ગમે તેવા તો પણ છમસ્થ છીએ ! છબસ્થ એટલે ઘાતકર્મને વશ પડેલો આત્મા અને ઘાતકર્મો એટલે આત્માના મૂળ ગુણોને ઘાત કરનારા કર્મો ! જ્યાં સુધી આત્માને ઘાતકર્મની પરાધીનતા છે, ત્યાં સુધી અનંતજ્ઞાનીઓની આજ્ઞાની પરાધીનતામાં રહીને જ આત્માએ પ્રવૃત્તિ કરવી જોઈએ, કે તેથી ઘાતકર્મ ફાવી ન જાય. દુશ્મનથી બચવું હોય તો દૃષ્ટિ ફેરવવી જ જોઈએ. એ દુશ્મનને આધીન થવાની વૃત્તિ જેવું એક પણ પાપ નથી. શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા સિવાયની ઇચ્છાઓ એ વિષયકષાયનાં જ રૂપકો છે. એ રૂપકોથી આત્મા ડૂબી જાય છે, તો શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા પામ્યા પછી એવી ઇચ્છાઓ કયો કલ્યાણાર્થી કરે ? પણ ખરી વાત એ છે કે – હજી શ્રી જિનેશ્વરદેવની પૂરી પિછાણ જ નથી થઈ, જ્યાં સુધી તારકના સ્વરૂપને ઓળખ્યું નથી, ત્યાં સુધી તે તારકે દર્શાવેલી મર્યાદાઓથી ગભરામણ થાય છે, પણ “મર્યાદામાં, બંધનમાં, અંકુશમાં ગંભીર હેતુ હશે, ત્યારે જ અનંતજ્ઞાનીએ એ ફરમાવેલ હશેને ?' આ રીતે વિચારી નથી શકાતું : ઊલટા કોઈ કોઈ તો એમ કહે છે કે “મુનિએ તો ઘરબાર તજ્યાં, હવે સ્ત્રી, પશુ, પંડગાદિથી રહિત વસતિ-ઉપાશ્રયમાં રહેવાની આજ્ઞાનો હેતુ શો ?' પણ એ બિચારા નથી સમજી શકતા કે એમાં કોઈ પણ આત્મા ગબડી ન જાય, એવો હેત તે અનંતજ્ઞાનીનો છે. અને એ જ હેતુથી ધર્મકરણી સિવાય મુનિ ગૃહસ્થ સાથે બીજી વાતો કે પરિચય પણ ન કરે, એમ શાસ્ત્ર તો ફરમાવે છે. શાસ્ત્ર કહે છે કે, મુનિને ગૃહસ્થની નિશ્રાની જરૂર છે, કારણ કે એ વિના સંયમનો નિર્વાહ નથી, છતાં તે કમળની જેમ તદ્દન નિર્લેપ જ રહે. નિશ્રા રાખવાની તે જરૂર પૂરતી જ છે, પણ તે નિશ્રા ખાતર ગૃહસ્થનાં વખાણ કરવા કાંઈ મુનિથી ન જ બેસી જવાય. સભાઃ શ્રાવક માંદો હોય તો મુનિ જોવા જાય કે નહિ ? નહિ જ, અવિરતિધર શ્રાવકને શરીરના ક્ષેમકુશળ બાબત સાધુથી પૂછવા કે જોવા જવાય જ નહિ, પરંતુ અંતિમ વખતે એ આત્માને દુધ્યાર્નમાંથી સદૂધ્યાનમાં સ્થાપવા, પાપનો પશ્ચાત્તાપ કરાવવા અને તે આત્માને તેના સ્વરૂપમાં જાગ્રત રાખવા, યોગ્ય નિયમાદિ આપવા તથા પંચપરમેષ્ઠીના સ્મરણાદિક વડે તે આત્માને દુર્ગતિમાંથી બચાવી સદ્ગતિએ સ્થાપવા શક્ય પ્રયત્નોરૂપ જે નિર્ધામણા, તેને કરાવવા મુનિ ગૃહસ્થના બોલાવવાથી યોગ્ય જણાય તો જાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy