SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮ – – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૩ -- See એટલે કે ગૃહસ્થના શરીરને જોવા કે હાથ પંપાળવા નહિ, પણ એના આત્માને શુદ્ધ કરવા જાય - દુનિયાનાં દુ:ખ રોવાં નહિ, પણ પરલોક સુધારવા જાય ! મુનિ ગૃહસ્થનો પરિચય કેમ ન કરે ? આનો ઉત્તર એ જ કે ગૃહસ્થને કોટે ઘર વળગ્યું છે, માટે રખે મુનિ પણ એમાં ન લેવાય. આ બંધનનો હેતુ એટલો જ કે ઘણા ગુણ પામેલો આત્મા પણ ગુણથી ગબડી ન જાય. મર્યાદાને નહિ પાળનાર વસ્તુતઃ મર્યાદાને સમજતા જ નથી. શ્રાવકની મર્યાદા શી ? પાપ કરે તો પણ બળતે હૃદયે. પાણી પીએ તો પણ વિચાર કરે કે હજી હું કાચું પાણી છોડી શકતો નથી. ખાતાં ખાતાં પણ જરૂર કરતાં રસલોલુપ બની વધુ ચીજ ખાતી વખતે વિચારે કે હું પાપાત્મા હજી રસત્યાગ કરી શકતો નથી ! આજે મર્યાદામાં નહિ માનનારાને એ દુઃખ થયું છે કે રોજ ખાવું ને રોજ રોવું, આ કેમ પાલવે ! રોજ આ શી બળતરા! માટે જ મર્યાદા ગમતી નથી. પણ હું પૂછું છું કે જો બધાને જ એ મર્યાદા ગમે, ખાતાપીતાં એવી મર્યાદાના વિચારો આવે, તો કોઈ પણ અભક્ષ્યભક્ષણ તરફ જાય ? અરે, ભણ્યના ભક્ષણથી પાછો વળે તો અભક્ષ્મભક્ષણની તો વાત જ શી ? ભક્ષ્ય ચીજ પણ આત્માની સ્વાધીનતાને દબાવતી હોય, એનો પણ જે ત્યાગ કરે – તે અભક્ષ્યનો તો વિચાર જ શેનો કરે ? જે ભયમાં લોભાયો, તેને અભક્ષ્યમાં લોભાતાં વાર કેટલી ? પછી તો એ સ્વાદમાં પડ્યો. સ્વાદમાં જ પડે એ ગબડે. એને પછી ભઠ્ય-અભયનો વિવેક પણ રહે નહિ. વેપારી જો નીતિને આદર્શ બનાવે, તો તો નીતિને ખાતર લાખને પણ લાત મારે, પણ જો લાખને આદર્શ બનાવે તો નીતિને લાત મારતાં વાર કેટલી? અને પછી દશા એ થાય કે પોતાની અનીતિને પણ નીતિ તરીકે જાહેર કરવાના પ્રયત્નો કરે, તેમજ પોતે જ ખરો નીતિવાન છે, એમ જણાવીને સાચી નીતિથી રહેનારા અને સાચી નીતિ જાણનારા જ્યારે એ કહેવાતી નીતિને વાસ્તવિક સ્વરૂપમાં રજૂ કરે, એટલે કે અનીતિને અનીતિ તરીકે ઓળખાવે, ત્યારે એમને પણ તે અનીતિમાન કહેવાને તૈયાર થઈ જાય. એટલે આત્માએ વસ્તુનો વિવેક કરતાં શીખવું જ જોઈએ. માટે કહું છું કે નીતિને આદર્શ રાખશો તો તમારી નીતિ ભયમાં નથી, બાકી લાખને આદર્શ બનાવી નીતિ સેવતા હશો, તો પણ તે ભયમાં છે અને કયારે તે અનીતિને માર્ગે દોરાશે એ નક્કી નથી. અનીતિને નીતિ કહેનાર તો કંઈક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy