SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો વાસ્તવિક સફળતા નથી. એટલું જ નહિ પણ, જો ચોથા અનુયોગ પર બિલકુલ રુચિ જ ન હોય, તો તો એ ત્રણે અનુયોગથી પ્રાપ્તિ કદાચ ફાયદાને બદલે નુકસાન પણ કરી બેસે; એ જ ત્રણ અનુયોગો આત્માના નાશક પણ બની જાય ! ૭૨ - ૩ ચારિત્રની રુચિ વિનાનો આ ત્રણે અનુયોગોને વાંચે જ શા માટે ? કહેવું જ પડશે કે કાં તો પેટ ભરવા, કાં તો પંડિતમાં ખપવા, કાં તો માર્ગની વિરુદ્ધ પ્રલાપ કરવા ! કહો, આ સિવાય બીજા કયા હેતુથી એ ધર્મકથાઓ વાંચે, વર્ણનો વાંચે, કે દ્રવ્યાદિનાં સ્વરૂપ સમજે ? કથાઓ સાંભળીને કરવાનું શું ? વર્ણનો વાંચીને સમજવાનું શું ? અને દ્રવ્યાદિનું સ્વરૂપ શા માટે સમજવાનું ? ચરણની પ્રાપ્તિ માટે અને એના નિર્મળ પરિપાલન માટે ! માટે જ કહેવાય છે કે ચરણકરણાનુયોગની પ્રાપ્તિ ન હોય તો પણ કદાચ પહેલા ત્રણ અનુયોગો લાભદાયી નીવડે, પણ ચોથા પ્રત્યે રુચિ જ ન હોય, તો તો એ જ ત્રણ અનુયોગો આત્માને ઘાતક નીવડે, કારણ કે રુચિને માર્ગ તો જોઈએ જ. એક બાજુની રુચિ (સંસારની) તો ચાલુ રહેવાની જ. Jain Education International 590 જ્યાં સુધી કર્માવરણ છે, ત્યાં સુધી મન, વચન તથા કાયાની પ્રવૃત્તિ તો અખંડપણે ચાલુ રહેવાની જ. યોગની પ્રવૃત્તિ સર્વથા તો ચૌદમે ગુણસ્થાનકે જ બંધ થવાની. એ યોગોને - એ રુચિને સીધે માર્ગે ન લાવો તો ઊંધે માર્ગે તો એ છે જ; તેની તેવી પ્રવૃત્તિ તો ચાલુ છે જ અને રહેવાની પણ. નદીનું પૂર એમ ને એમ રોકાયું રોકાય નહિ. એનો પ્રવાહ એવો પ્રબળ હોય કે એ આડે આવતા પહાડને ભેદીને પણ માર્ગ કરે. પરંતુ એ પૂરને જો હાનિકર ન બનાવવું હોય, તો એને યોગ્ય માર્ગે વાળવું જોઈએ, અને તેમ થાય તો એનું એ હાનિ કરનારું પૂર, હાનિ કરવાને બદલે ફાયદો કરનારું પણ નીવડે. તેવી જ રીતે યોગોના ઊલટા પ્રવાહને સીધી દિશામાં વાળવા માટે એની દિશા ફે૨વવી જ જોઈએ, એટલે કે જે યોગો સંસાર તરફ ઢળી રહ્યા હોય, પાપપ્રવૃત્તિમાં રચ્યાપચ્યા હોય, તેમને સંયમ તરફ વાળી ઇંદ્રિયનિગ્રહમાં રસિક બનાવવા જોઈએ. આમ થાય તો જ પહેલા ત્રણે અનુયોગો લાભદાયક નીવડે, અન્યથા એના એ ત્રણે અનુયોગો આત્માના અહિતના જ કારણરૂપ બની જાય, આથી જ જ્ઞાની પુરુષોએ ફરમાવ્યું છે કે ‘યોગ્ય આત્માને માટે જે સાધનો For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy