SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ : શ્રી જૈનશાસનની ઉજવળ મર્યાદાઓ ઃ ચરણની રુચિ વિના બધું જ હાનિકર ! શ્રી આચારાંગ સૂત્રમાં અત્યાર સુધીમાં આપણે જોઈ ગયા કે ટીકાકાર મહર્ષિએ મંગલાચરણ કરતાં સમજાવ્યું કે આ તીર્થ સદાને માટે જયવંતુ વર્તે છે. કેમ કે તેમાં એક પણ અયોગ્ય વિચારને સ્થાન નથી તથા એક પણ યોગ્ય વિચારનો ઇન્કાર નથી. એટલા જ માટે તે શાશ્વત છે, અનુપમ છે, અને સધળા શ્રી જિનેશ્વરદેવોથી નમસ્કાર કરાયેલું છે. આગળ ચાલતાં આપણે એ પણ જોયું કે કલ્યાણના અર્થી આત્માએ કલ્યાણના અર્થી આત્માને માટે, શ્રી અરિહંતદેવના જ વચનનો અનુયોગ કરવો તે જ યોગ્ય છે. કારણ કે એ સિવાય સાચો વિવેક આવતો નથી, સાચો વિવેક આવ્યા વિના હેય તથા ઉપાદેય પદાર્થોનું જ્ઞાન થતું નથી. હેય તથા ઉપાદેય પદાર્થોનું જ્ઞાન થયા વિના રાગ, દ્વેષ તથા મોહ ઘટતા નથી, અને એ રાગ, દ્વેષ તથા મોહ ન ઘટે ત્યાં સુધી આધિ-વ્યાધિ-ઉપાધિરૂપ દુ:ખ તેમ જ જન્મજન્માંતરના પરિભ્રમણરૂપ દુઃખ દૂર થતું નથી અને સુખની પ્રાપ્તિ પણ થતી નથી. એટલે કે જે આત્મા સ્વકલ્યાણની કામનાવાળો હોય તેણે આત્મકલ્યાણની કાંક્ષાવાળા આત્માને માટે, શ્રી અરિહંતદેવનાં જ વચનનો અનુયોગ કરવો એ જ ઇષ્ટ છે, અને એથી જ સાચા વિવેકની, સાચા જ્ઞાનની તથા સાચા સુખની પ્રાપ્તિ થઈ શકે તેમ છે. શ્રી અરિહંતદેવના વચનના અનુયોગને ચાર વિભાગમાં વહેંચવામાં આવ્યો છે : ૧- ધર્મકથાનુયોગ, ૨- ગણિતાનુયોગ, ૩- દ્રવ્યાનુયોગ અને ૪- ચરણકરણાનુયોગ. આ ચારે અનુયોગોમાં મુખ્યતા ચરણકરણાનુયોગની છે, કારણ કે જ્યાં સુધી એ ચરણકરણાનુયોગની પ્રાપ્તિ ન થાય, ત્યાં સુધી પૂર્વના ત્રણ ધર્મકથાનુયોગાદિ અનુયોગો વાસ્તવિક રીતે જોઈએ તેટલા સફળ થતા જ નથી. પૂર્વના ત્રણ અનુયોગો ચોથા ચરણક૨ણાનુયોગની પ્રાપ્તિ માટે જ છે. અને માટે જ એ વિનાના પહેલા ત્રણ અનુયોગોન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy