SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ૫: શ્રી જૈનશાસનની ઉજવળ મર્યાદાઓ : 42 • ચરણની રુચિ વિના બધું જ હાનિકર ! • જ્ઞાનીઓની મર્યાદાઓને ન ચૂકો! • મર્યાદાઓ શાથી ખૂંચે છે ? • મર્યાદામાં ટકનારની જ મુક્તિ ! વિષયઃ ધર્મોપદેશ કરનાર તથા સાંભળવારે કરવાનું મર્યાદાપાલન, ચારે અનુયોગોમાં ચોથા અનુયોગનું જ મહત્ત્વ છે. બાકીના ત્રણે અનુયોગો પણ ચોથા માટે જ. આ પૂર્વમાં કહેવાયેલી વાતને ફરીથી અલગ અલગ દૃષ્ટિકોણથી પૂજ્યપાદે આ પ્રવચનના પ્રારંભે સમજાવી છે. ત્યાર બાદ સર્વવિરતિ, દેશવિરતિ કે સમ્યગ્દષ્ટિ : હરકોઈ માટે સ્વભૂમિકા યોગ્ય મર્યાદાઓનું પાલન કરવું કેવું અને કેટલું અનિવાર્ય છે, મર્યાદાના નાશમાં સ્વ-પરનો નાશ કઈ રીતે છે એ વાત ખૂબ જ વિસ્તારથી સમજાવી છે. મહાસતી મૃગાવતીજીને આર્યા શ્રી ચંદનબાળાજીએ આપેલા ઠપકાનો પ્રસંગ વર્ણવી એના માધ્યમથી મહાસતીજીએ કરેલી વિચારણા અને પરિણામે કેવલ્યપ્રાપ્તિ થઈ એમાં પણ કારણ જિનશાસનની ઉજ્જવળ મર્યાદાનું ઉત્તમ પાલન જ હતું - એમ કહી ઉપસંહાર કર્યો છે. શાસ્ત્રોપદેશ કરનાર, સાંભળનારને પણ મર્યાદા પાળવી કેટલી જરૂરી છે એ અત્રે સુપેરે જાણવા મળે છે. મુલાકાત • જે યોગો સંસાર તરફ ઢળી રહ્યા હોય, પાપપ્રવૃત્તિમાં રચ્યાપચ્યા હોય, તેમને સંયમ તરફ વાળી ઇંદ્રિયનિગ્રહમાં રસિક બનાવવા જોઈએ. ૦ યોગ્ય આત્માને માટે જે સાધનો મુક્તિનાં કારણ બને છે, તેનાં તે જ સાધનો અયોગ્ય આત્માને માટે સંસારમાં રખડાવવાનાં સાધનો બની જાય છે. • સારી ચીજ પણ ગુણ કોને કરે ? જે વિધિ મુજબ ઉપયોગ કરે તેને ! • દૃષ્ટાંત લેવામાં પણ બુદ્ધિ શુદ્ધ હોવી જોઈએ, નહિ તો એ જ મહાપુરુષોનાં દાંતો ઝેરરૂપ થાય. • મોહથી મૂંઝવણ તો થાય, પણ અંદરની વસ્તુ સમ્યક્ત્વ, એ આત્માને સીધે માર્ગે લાવ્યા વિના રહે નહિ. • ચાર જ્ઞાનના ધણી અને ત્રણ જ વચન ઉપરથી દ્વાદશાંગીની રચના કરનાર જેવા સમર્થ માટે પણ ‘રૂછાઈ ઘો ન કહ્યો, ત્યારે આપણે માટે તો ફુલ્ડા ઘમ’ હોય જ કેમ ? 'ગાઘો’ ‘આજ્ઞામાં જ ધર્મ' કહ્યો પણ મતિકલ્પનામાં ન કહ્યો. • ધર્મકરણી સિવાય મુનિ ગૃહસ્થ સાથે બીજી વાતો કે પરિચય પણ ન કરે. • બંધનનો હેતુ એટલો જ કે ઘણા ગુણ પામેલો આત્મા પણ ગુણથી ગબડી ન જાય. • જે ભક્ષ્યમાં લોભાયો, તેને અભક્ષ્યમાં લોભાતાં વાર કેટલી? • મર્યાદાને છોડી આ શાસ્ત્રને વાંચનારા વિરોધી બની, આ શાસ્ત્રના દુશ્મન બન્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy