SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ કળા – ૫ શ્રી જૈનશાસનની ઉજવળ મર્યાદાઓ – 42 - - ૧૩ મુક્તિનાં કારણો બને છે, તેનાં તે જ સાધનો અયોગ્ય આત્માને માટે સંસારમાં રખડાવવાનાં કારણો બની જાય છે. ત્યારે સમજો કે આ ત્રણે અનુયોગો અપાય કોને ? શુદ્ધ રુચિવાળાને જ ! ચરણની પ્રાપ્તિ માટે કઠિનતા બતાવાય કે એ માટે પોતાની નિર્બળતા દર્શાવાય, અને એની રુચિ હૃદયમાં સ્થિર કરાય, તોય આ ત્રણે અનુયોગો ફળ આપે. પણ એને બદલે ચરણની રુચિમાંય વાંધો હોય, એ કેમ પાલવે ? હવે આપણે આગળ ચાલીએ. એ ચરણની રુચિ કયારે પેદા થાય ? જ્યારે સંસારની વાસના ઘટે ત્યારે જ ! સંસારની વાસના ક્યારે ઘટે ? જ્યારે સંસાર કડવો ઝેર જેવો લાગે ત્યારે જ! સંસાર કડવો ક્યારે લાગે ? ત્યારે જ કે જ્યારે આત્માને હિતકર એવું કડવું પણ સત્ય કહીને સન્માર્ગે દોરનારની પાસેથી પ્રેમપૂર્વક સંસારનું યથાસ્થિત સ્વરૂપ સમજાય તો ! ત્યારે ચરણની રુચિ પેદા કરવા માટે તમારે સત્યને સત્ય તરીકે સાંભળવા ને સમજવા તૈયાર થવું પડશેને ? કદાચ એકદમ ઊંચે ન અવાય, તો ક્રમસર તો આવવા કબૂલ છોને ? તમે ભણ્યાગણ્યા, કાર્યકુશળ બન્યા, વિદ્વાન થયા તે કેટલીય ઠોકરો અને થપ્પડો ખાઈને કે એકદમ જ્યારથી જન્મ્યા ત્યારથી જ આજના જેવા? મહાનુભાવ! પૂર્વની આરાધનયોગ ન હોય ને તેથી તીવ્ર રુચિ પેદા ન થાય, પરંતુ રુચિ પેદા કરવા માટે ક્રમસર પ્રયત્ન તો કરવો જ પડશે ને એ રૂચિને જાગ્રત કરાવવાના જ આ પ્રયત્નો છે. અને એ જ કારણે વારંવાર વિચારવું પડે છે કે ધર્મકથાનુયોગાદિ પહેલા ત્રણ અનુયોગો મુક્તિના સાધનરૂપ ખરા, પણ તે કોને અને ક્યારે ? જેમને આ સંસારની આસક્તિ ઘટી હોય તેમને અને સંયમની રુચિ પેદા થાય ત્યારે ! આ ત્રણે અનુયોગોમાં તો બધું જ વર્ણન આવે છે. જેમ અનેક પુણ્ય કરણીઓનું તથા સમ્યક્ત્વાદિ ગુણોનું વર્ણન આવે છે, તેમ મિથ્યાત્વ, અવિરતિ, કષાય તથા પ્રમાદના પ્રકાર, એની હાલત, તથા એના પરિણામનું પણ વર્ણન આવે છે. ચક્રવર્તીની, ઇન્દ્રની અને કેવળજ્ઞાનીની સાહ્યબીનું પણ વર્ણન હોય અને જીવતાં ચામડી ઊતરે છતાં આત્મમગ્ન રહેનાર સાધુપુરુષોનું પણ વર્ણન હોય. રિદ્ધિસિદ્ધિ મેળવ્યાની વાત પણ હોય અને એ મેળવીને સદુપયોગથી તરનાર તથા દુરુપયોગથી ડૂબનારની વાત પણ હોય. એમાં વ્યભિચારીનાંય વર્ણન હોય અને સંકટ સમયે પણ શીલથી નહિ ચૂકનારનું વર્ણન હોય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy