SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ પર —— – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૩ – 590 આત્માનો આ એક મોટામાં મોટો ગુણ છે. તે આત્મા તો સંવેગના યોગે- “સુરનર સુખ જે દુઃખ કરી લેખવે, વછે શિવસુખ એક.' આવી સંવેગની ભાવનાવાળો દુનિયાનાં પૌત્રલિક સુખોને માગે ? નહિ જ. રતિની સામગ્રીમાં વિતરાગદેવના આત્માને વિરક્તિ ટકી રહી, એનું કારણ એક જ કે એ સામગ્રી મળી ગયેલી પણ માગીને મેળવેલી નહિ જ ! મળી જાય એ ભોગવવા માત્રથી મિથ્યાત્વ ન લાગે અને સમ્યકત્વ ન ચાલ્યું જાય, પણ માગીને મેળવ્યું હોય અથવા મેળવવા જેવું અને ભોગવવા જેવું માને તો મિથ્યાત્વ લાગે છે અને સમકિત ચાલ્યું જાય. જ્યાં સુધી સર્વ કર્મના બંધનથી રહિત ન થવાય, મોહ ઉપર સર્વથા વિજય ન મેળવાય, ત્યાં સુધી મુક્તિ મળે એમ નથી જ. મુક્તિ મળે ત્યાં સુધી મળતું પૌદ્ગલિક સુખ ભોગવાય એ જુદી વાત પણ ભોગવવા જેવું અગર મેળવવા જેવું મનાય તો મુક્તિ દૂર જ થાય. “પદ્ગલિક સુખ મેળવવા જેવું અને ભોગવવા જેવું મનાઈ ન જાય.' - એટલી આત્મશુદ્ધિ જાળવી રાખવાની જરૂર છે. જો એ શુદ્ધિ રહી શકે તો એ આત્માને કોઈ પણ પાપસંસર્ગ આધીન બનાવી શકતો નથી. શ્રી તીર્થંકરદેવની સ્તુતિ કરતાં, શ્રી વીતરાગદેવની સ્તવના કરતાં, શ્રી હેમચંદ્રસૂરિજી કહે છે કે “હે ભગવન્! દુઃખના હેતુમાં તને જે વિરાગ નહોતો, તેવો વિરાગ સુખના હેતુમાં હતો !” દુઃખના હેતુમાં વિરાગ સામાન્યને પણ આવે, પણ ભગવાનને તો દુઃખના હેતુમાં જે વિરાગ નહોતો, તે સુખના હેતમાં હતો. જો એમ ન હોય તો દેવલોકમાં વિરાગીપણું ટકે શાનું? સમ્યગ્દષ્ટિ આત્મા આપત્તિથી જેટલો ન ભાગે તેટલી સંપત્તિથી ભાગે. એ સમજે છે કે આપત્તિ યોગ્ય રીતે સહન થાય તો કર્મક્ષયનું સાધન છે, પણ મોટે ભાગે સંપત્તિ તો કર્મને વધારનાર જ છે, માટે એ આત્મા સંપત્તિથી ડરે. આપત્તિમાં તો “ઓ બાપરે” કરતાં પણ ભગવાન યાદ આવી જાય, પણ સંપત્તિમાં તો કોઈ વિરલાને જ યાદ આવે. સંપત્તિમાં તો ભગવાનને દહેરામાં રાખે, જ્યારે દુ:ખમાં તો દુઃખને કાઢવા માટે પણ ભગવાનને યાદ કરે. અશુભોદય કરતાં શુભોદય ભોગવવો કઠિન છે. નારકી મરીને નારકી ન થાય પણ મનુષ્ય મરીને નારકી થાય. નારકીને એકલી દુઃખની સામગ્રી છે. ત્યાં ગમે તેવી ધમાલ કરાય છતાં નારકીનું આયુષ્ય ન જ બંધાય. શાથી ? દુઃખની વિટંબણાથી નારકી કાયર બનેલો છે. એને ત્યાંથી છૂટવાની ભાવના ચાલુ જ રહે છે, કારણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy