SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ કan –૪: આગમનો સાર શું? - 41 – ૫૩ કે અશુભોદય છે. શુભના ઉદયમાં પડેલાઓ પોતાને જવાનું છે એમ જાણવા છતાં, એમને એ સાહ્યબી વખતે પશ્ચાત્તાપ નથી આવતો. પુદ્ગલાનંદમાં બધું વિસરી જવાય છે. મુદ્દો એ છે કે, ખરો વૈરાગ્ય કેળવવા માટે જે ભાવના જામવી જોઈએ તે જામતી નથી. મુનિપણું શાથી કઠિન જણાય છે? અહીંની વાતમાં “આવું આવું ન થાય' એમ બોલાય છે અને દુનિયાની કાર્યવાહીમાં બધું થાય છે એનું કારણ ? એ જ કે દુનિયાની કાર્યવાહીઓ પ્રત્યે જેટલો રાગ છે, તેટલો રાગ ધર્મની કાર્યવાહીઓ પ્રત્યે નથી. પણ ભાગ્યશાળીઓ! દુનિયાની કાર્યવાહીઓનું પરિણામ શું ?' - એ વિચારો ! પરિણામ સુધી પહોંચશો એટલે તો આપોઆપ જ અટકી પડશો. અને પરિણામ સુધી પહોંચવું જ જોઈએ. જો પરિણામનો વિચાર ન થાય તો, માનો કે સમ્યકત્વ હોય તો પણ તે નિર્મળ શી રીતે રહી શકે ? ધાર્મિક ક્રિયામાં આ ન થાય, આ ન થાય” એમ થાય ને દુનિયાની કાર્યવાહીમાં “આ મજેથી થાય' એમ બોલાય, એવા વિચારો થાય તો સમ્યકત્વ સુધરે કે બગડે ? બગડે જ. તમારે તો વિચાર કરવો નથી. સંભળાવવું પણ મારે અને તમારી વતી વિચાર પણ મારે કરવો, એમ ? જો એમ જ હોય તો તે ન જ પાલવે. વિચાર તો તમારે તમારી જાતે જ કરવા જોઈએ. આજે પૂછનાર કદી આવે તો એમ પૂછે છે કે “રોજ ત્યાગની વાત કેમ કરો છો ?” પણ થોડાક અપવાદો બાદ કરતાં કોઈ એવું પૂછવા નથી આવતા કે “અમારાથી કેમ છૂટતું નથી ?' કોઈ કોઈ ભૂલ કેમ કાઢો છો ?' એમ પૂછવા આવે છે, પણ ભૂલ કેમ નીકળતી નથી ?' એમ પૂછતા નથી આવતા. તમારે વિચારવાની વાતો અમારે વિચારવી પડે એની અસર શી ? તમને વિચાર થાય તો જ કામ આવે. આ વિચાર માટે ટાઈમ નિયત કર્યો છે ? સામગ્રી યોજી છે? એને માટે જ્ઞાનીઓએ નિયત કરેલા ટાઇમનો પણ ઉપયોગ કરાતો નથી. એટલી ક્રિયા ન થાય તે માટે પશ્ચાત્તાપ થાય, તો પણ આત્મા જાગતો થઈ જાય. આજે વિહિત ક્રિયાઓના કરનારા પણ કેટલા ? વેઢે આવે એટલા. કરે તે પણ બહુલતયા ફોનોગ્રાફની ચૂડી અને પીન જેવા. આજે પર્વાધિરાજ પર્યુષણ પર્વનો આગલો દિવસ છે. તેની આરાધના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy