SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ar - ૪ : આગમનો સાર શુ? - 41 – –– ૪૯ જ્યારે શુદ્ધ પ્રરૂપણા થાય અને શુદ્ધ પ્રરૂપણા પણ તે જ કરી શકે, કે જે શ્રી આચારાંગસૂત્રના વ્યાખ્યાનભૂત અર્થના સુંદર જ્ઞાતા હોય.જેઓ શ્રી આચારાંગસૂત્રના વ્યાખ્યાનભૂત અર્થના સુંદર જ્ઞાતા હોવા સાથે, તેનો અનુયોગ કરવામાં પ્રવીણ હોય, તે એવી સુંદર પ્રરૂપણા કરે, કે જેના યોગે અનેક આત્માઓને ચરણની પ્રાપ્તિ થાય, ને જેથી મુક્તિ થાય અને મુક્તિના યોગે અનંત સુખની પણ પ્રાપ્તિ થાય ! એ જ આ આખી દ્વાદશાંગીનો સાર છે. સુખ જોઈએ અવ્યાબાધ અને કાર્યવાહી જુદી હોય તો એ સુખ ન જ મળે ! અવ્યાબાધ સુખ મોક્ષ વિના બીજે નથી ? અવ્યાબાધ સુખ મોક્ષ વિના બીજે કોઈ પણ સ્થળે નથી. જે સુખ આત્માને જોઈએ છે, તે જ્ઞાની કહે છે કે દુનિયામાં કોઈ સ્થળે નથી. સંસારનાં જેટલાં સુખો છે, તે બધાં જ સંયોગજન્ય છે. માટે સંસારમાં અવ્યાબાધ સુખ છે જ નહિ. સંયોગજન્ય સુખોનો અભાવ જરૂર હોય છે. સંયોગજન્ય સુખ તો આવે અને જાય, માટે એ સુખ તો દુઃખનું જ કારણ છે, માટે એ સુખ તે સુખ કહેવાય જ નહિ, પણ દુઃખ જ કહેવાય. દુનિયાના જીવો જે એકાંતિક, આત્યંતિક અને સંપૂર્ણ સુખની ઇચ્છા રાખે છે અને શાસ્ત્ર જે સુખને ઇષ્ટ અને ઉપાદેય તરીકે ઓળખાવે છે, તે સુખ મોક્ષ સિવાય બીજો કોઈ પણ સ્થળે નથી, માટે જ ઉપકારી મહાપુરુષો કહે છે કે આત્માની દૃષ્ટિ દુનિયાના સુખ તરફ ઢળેલી છે, તે ફેરવીને મોક્ષ તરફ વાળવી જોઈએ. દૃષ્ટિ સંસાર તરફથી ખસે નહિ ત્યાં સુધી મોક્ષ તરફ વળે નહિ અને ત્યાં સુધી આ બધી વાતો કામ પણ આવે નહિ. આખા સંસાર તરફથી દૃષ્ટિ પરિવર્તન પામે અને મોક્ષ તરફ ઢળે, ત્યારે જ આ દ્વાદશાંગી શાંતિપૂર્વક સંભળાય અને તેમાંથી જીવનમાં ઉતારવા જેવું જીવનમાં ઉતારાય. દ્વાદશાંગીને કોણ સાંભળી શકે ? પચાવી કોણ શકે ? જીવનમાં કોણ ઉતારી શકે? દ્વાદશાંગી અર્થરૂપે શ્રી જિનેશ્વરદેવોએ કહી અને સૂત્રરૂપે શ્રી ગણધરદેવોએ ગૂંથી એ શા માટે ? એ કહેવામાં અને રચવામાં હેતુ કયો ? આ બધું વિચારવું અને સમજવું જ જોઈએ. શ્રી દ્વાદશાંગી કહેવામાં અને રચવામાં એક જ હેતુ છે કે જગતના યોગ્ય જીવો તેના દ્વારા જડના સંસર્ગોથી બચી અનંત સુખના ધામરૂપ મુક્તિની સાધના કરી શકે, કારણ કે દુનિયાના પ્રાણીમાત્રને જે સુખ જોઈએ છે તે અનંત સુખ દુનિયામાં નથી પણ મોક્ષમાં જ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy