SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ – – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૩ - 576 - આ ઉપરથી એ ખ્યાલ આવવો જોઈએ કે, શ્રી આચારાંગ એ પ્રથમ અંગ છે અને તે શ્રી જિનપ્રવચનનો સાર છે. કારણ કે, તેમાં મોક્ષના ઉપાયરૂપ ચરણકરણનું પ્રતિપાદન છે. સારમાં સારભૂત શું? પ્રવચનનો સાર આચાર છે. આનું કારણ એ છે કે પરિણામે અવ્યાબાધ સુખની પ્રાપ્તિ છે. આ વસ્તુ બતાવવા માટે શ્રુતકેવલી ભગવાન શ્રી ભદ્રબાહુસ્વામીજી મહારાજા ફરમાવે છે કે - "अंगाणं किं सारो? आयारोतस्स हवइ किं सारो? अणुओगत्थो सारो तस्स वि य परूवणा सारो ।।१।। सारो परूवणाइ चरणं तस्स वि य होइ निव्वाणं । निव्वाणस्स उ सारो अव्वावाहं जिणा बिंति ।।२।।" બારે અંગોમાં સારભૂત શ્રી આચારાંગસૂત્ર, શ્રી આચારાંગસૂત્રનો સાર તેનો વ્યાખ્યાનભૂત અર્થ, તે વ્યાખ્યાનભૂત અર્થનો સાર, તેની યથાસ્થિત પ્રરૂપણા, તે યથાસ્થિત પ્રરૂપણાનો સાર ચારિત્ર, ચારિત્રનો સાર નિર્વાણ અને એ નિર્વાણ એટલે મોક્ષ, તેનો સાર અવ્યાબાધ એટલે કે કોઈ પણ જાતના દુઃખના લેશ વિનાના સુખની પ્રાપ્તિ !” – એમ શ્રી જિનેશ્વરદેવ કહે છે. આ સઘળું જોતાં સહજમાં સમજી શકાય તેમ છે કે આચારહીનતામાં માનતા આત્માઓ શ્રી જૈનશાસનની આરાધના કોઈ પણ રીતે કરી શકતા નથી. કારણ કે આ શ્રી જિનશાસનમાં આચાર એ જ મુખ્ય વસ્તુ છે અને એ પરમશુદ્ધ આચારનું પ્રતિપાદન, આ શ્રી આચારાંગસૂત્રમાં કરેલું છે. તેથી તે બારે અંગસૂત્રોમાં સારભૂત અંગસૂત્ર છે. તે અંગસૂત્રનો સાર અનુયોગાર્થ એટલે વ્યાખ્યાનભૂત અર્થ છે, તે વ્યાખ્યાનભૂત અર્થનો સાર પ્રરૂપણા છે, તે પ્રરૂપણાનો સાર ચારિત્ર છે, તે ચારિત્રનો સાર મુક્તિ છે અને મુક્તિનો સાર અવ્યાબાધ સુખની પ્રાપ્તિ છે. અને આથી એ સિદ્ધ થાય છે કે આખી દ્વાદશાંગીનો સાર એક જ અને તે એ જ છે કે આત્મા જડના સંસર્ગથી છૂટી અનંત સુખનો ભોક્તા થાય. અનંત સુખના ભોક્તા થવું હોય તો સંસાર છોડીને મોક્ષમાં જવું જ પડે અને મોક્ષમાં ત્યારે જ જઈ શકાય, કે જ્યારે સર્વ સંસારનો ત્યાગ જેમાં સમાયો છે, તેવા ચરણનો સ્વીકાર થાય. સર્વત્યાગમય ચરણની પ્રાપ્તિ પણ ત્યારે જ થાય, કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy