SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ : આગમનો સાર શું ? - 41 ૪૭ આ ઉપરથી સ્પષ્ટ છે કે શ્રી જિનેશ્વરદેવના શાસનમાં આચારની મુખ્યતા છે અને એ જ કારણે આચારના પ્રતિપાદક આ શ્રી આચારાંગસૂત્રના અર્થની ઉત્પત્તિ પણ પ્રથમ થઈ છે અને સૂત્રની રચના પણ પ્રથમ જ થઈ છે. પ્રશ્નો... અને ઉત્તરો ઃ 575 “વ્હલા પુનર્ભવતાઽડચાર: પ્રીત: ?” ‘શ્રી તીર્થંકર ભગવાને આચારની રચના ક્યારે કરી ?’ આ પ્રશ્નોનો ઉત્તર આપતાં શ્રુતકેવલી ભગવાન શ્રી ભદ્રબાહુ સ્વામીજીએ પણ ફરમાવ્યું કે "सव्वेसिं आयारो तित्थस्स पवत्तणे पढमयाए । सेसाई अंगाई इक्कारस आणुपुवीए ।।१।। " ‘સઘળા શ્રી તીર્થંકરદેવોના તીર્થના પ્રવર્તનમાં આચારની પ્રવૃત્તિ (રચના) પ્રથમ છે અને બાકીનાં અગિયારે અંગોની પ્રવૃત્તિ ક્રમસર તે પછી છે.’ શ્રુતકેવલી ભગવાન શ્રી ભદ્રબાહુસ્વામીજીના કથનને સ્પષ્ટ કરતાં, ટીકાકાર મહર્ષિ પણ ફરમાવે છે કે - "सर्वेषां तीर्थकराणां तीर्थप्रवर्त्तनादावाचारार्थः प्रथमतयाऽभवद्भवति भविष्यति च ततः शेषाङ्गार्थ इति, गणधरा अप्यनुपूर्व्या सूत्रतया ग्रथ्नन्तीति" ।। ‘સર્વ શ્રી તીર્થંકરદેવોના તીર્થપ્રવર્તનની આદિમાં પ્રથમ આચારનો અર્થ જ થયો છે, થાય છે અને થશે. તે પછી જ બાકીનાં અંગોનો અર્થ. શ્રી ગણધરદેવો પણ એ જ ક્રમે સૂત્રરચના કરે છે.' ‘શ્રી આચારાંગસૂત્ર’ સર્વથી પ્રથમ કેમ ? બારે અંગોમાં આ શ્રી આચારાંગસૂત્રની રચના પ્રથમ કેમ ?’ આ પ્રશ્નના ઉત્તરમાં બારે અંગોમાં તે પ્રથમ છે, તેનો હેતુ દર્શાવતાં શ્રુતકેવલી ભગવાન શ્રી ભદ્રબાહુસ્વામીજી મહારાજા ફરમાવે છે કે - 14 'आयारो अंगाणं पढमं, अंगं दुवालसपि । ફત્હ ય મોોવાઓ, સ ય સારો પવયળસ્ત્ર ।।।।" ‘શ્રી આચારાંગસૂત્ર એ બારે અંગોમાં પણ પ્રથમ છે, કારણ કે શ્રી આચારાંગસૂત્રમાં મોક્ષના ઉપાયભૂત ‘ચરણકરણ’નું પ્રતિપાદન છે અને આખાયે પ્રવચનનો તે સાર છે.’ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy