________________
– ૫ : સુખ સંસારનું અને મોક્ષનું - 25
-
૩૯
આરાધનાથી તેમજ નિમિત્તથી પણ સારા સંસ્કાર આવે પૂર્વની આરાધના વિના પણ સારા સંસર્ગમાં મૂકો તો પણ સુસંસ્કારો આવે. અને પૂર્વભવના સંસ્કારને પણ ઉદ્ધોધન જોઈએ, એના વિના એ શું કરે? પૂર્વના સારા સંસ્કારો હોય તો મુનિને કે એવા શુભ નિમિત્તને જોઈને તે જાગે, ખોટા સંસ્કાર હોય તો ખોટી ચીજને જોઈને જાગે. પૂર્વના સારા સંસ્કાર હોય, પણ અહીં કુસંસ્કારમાં મુકાય તો સારા સંસ્કાર પણ ભૂંસાઈ જાય. પૂર્વના ખરાબ સંસ્કાર હોય તો પણ અહીં સારા સંસ્કારમાં મુકાય, તો સારું પરિણામ પણ આવે. માનો કે કુસંસ્કાર લઈને આવ્યો, પણ દૂધપાન કરાવતાં કરાવતાંયે એને કાને નવકાર પડે તો ? એની દરેક ઉમ્મરમાં ધર્મના સંસ્કાર રોપાય તો ? તીવ્ર પાપોદયની વાત જુદી છે, માટે એ ભૂલી જાઓ : પણ મોટે ભાગે બાળક ધર્માત્મા કે પાપાત્મા બને, એની જોખમદારી સંસ્કાર પોષનાર ઉપર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org