SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫ ૫ : સુખ સંસારનું અને મોક્ષનું – 25 કોઈ પૂછે કે ‘મોક્ષમાં સુખ શું ?' “દુઃખનો, ઇચ્છાનો, તૃષ્ણાનો સર્વથા અભાવ : અર્થાત્ સર્વ કર્મસંગથી રહિત થઈ સ્વસ્વરૂપમાં અનન્ય રમણતા એ જ વાસ્તવિક સુખ.” ખાવાપીવા આદિમાં સુખ માનનારા ભ્રમણામાં પડેલા છે, કારણ કે કર્મયોગે મળેલ આ શરીરના શરણે ઉત્પન્ન થયેલ ભૂખ આદિ દુ:ખની શાંતિ માટે જ ખાવુંપીવું વગેરે કરવું પડે છે, આથી સ્પષ્ટ છે કે ખાવુંપીવું એ પણ એક પ્રકારે તો દુ:ખ જ છે. રોજ ઔષધની જરૂરને સુખ માનનારા મૂર્ખાઓ, ભલે તેમાં સુખ માને, બાકી વસ્તુતઃ તેમાં સુખ નથી જ. સભા : સ્વાદ માટે પણ ખવાય છે ! 331 એકલા સ્વાદ માટે નહિ: ભવિષ્યના દુઃખને ભૂલી એકલા સ્વાદ માટે ખાનારા બધા ન નીકળે. ધરાઈને બેઠા હો તો સ્વાદ માટે પણ નહિ ખાઈ શકાય. મૂળ તો ભૂખનું દુઃખ થાય છે, તેના નિવારણ માટે જ ખવાય છે. જો કે વિષયાધીનતા આવી, એથી સ્વાદાદિ વધ્યા એ ખરું, પણ નિદાન ભૂખને મટાડવા ખાવાનું હોય છે. ઇંદ્રિયોનું લૌલુષ્ય, સ્વાદ, મોજમજા આવે, એ જુદી ચીજ છે. કોઈ પૂછે કે મોક્ષનું સુખ શબ્દમાં કહો ! શાસ્ત્ર કહે છે કે, તે અનિર્વચનીય છે. એ સુખ શબ્દમાં વર્ણવાય તેવું નથી, કારણ કે દુનિયાના સુખ કરતાં એ સુખ તદ્દન જુદી જાતનું છે. જે સાધનો દ્વારા દુનિયા સુખની અભિલાષા રાખે છે, તે જ સાધનોનો સર્વથા અભાવ થાય અને આત્મા પોતાના બળ દ્વારા તે સઘળાં સાધનોની મમતા તજી કર્મમલથી રહિત થઈ સ્વસ્વરૂપમય બને ત્યારે જ મોક્ષસુખનો અનુભવ થઈ શકે છે, અસ્તુ. હાલ તો એ જ વિચારીએ કે, આ સંસારમાં સુખ છે કે કેમ ? જે સુખનો આભાસ થાય છે, તે સુખ પરિણામે જો સુખ હોત, તો તો વાંધો નહોતો, પણ આત્મા જ સાક્ષી પૂરે છે કે, વિષયજન્ય સુખો, એની અભિલાષા, એ માટેના પ્રયત્નો, એ એવી જાતના છે કે પરિણામે જરૂર શોષવું જ પડે. આ વાતમાં શંકા કોને પડે ? જે પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, તથા એનાં સાધનોને ન સમજી શકે તેને ! આ લોક, પરલોક ન જાણી શકે તેને તો આ વાત સમજવી પણ કઠિન જ પડે. જેને તત્ત્વોનો ખ્યાલ ન હોય, તેને તો એમ જ થાય કે દુનિયાના સુખમાં પરિણામે શી હાનિ ? પણ જે સમજે છે કે માનસિક સુખમાં પરિણામનો પણ બંધ નિયત છે, તેને માટે આ માનવું કઠિન નથી. ‘શુભનો બંધ શુભ અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004826
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & agam_acharang
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy