________________
* : ભવનો ભય અને ધર્મજિજ્ઞાસા
આ રીતના વિચારમાં ને વિચારમાં પરમાર્હત્ મહારાજા શ્રી કુમારપાળ આરતી હાથમાં લઈને પ્રભુની સન્મુખ દૃષ્ટિ રાખીને ઊભા જ રહ્યા : ભાવનામાં વધતાં વધતાં ભોજનના ત્યાગ સુધીની હદે પહોંચી જવું, એ શું નાનીસૂની વાત છે ? એકદમ અન્નપાણીના ત્યાગની ભાવના થઈ જાય એ શાથી ? એથી જ કે સંસારની અસારતા પૂરેપૂરી સમજાઈ ગયેલી હતી. અન્નપાણીના ત્યાગ થયા પછી રહ્યું શું ? શું રાજ્ય બાકી રહી જાય છે ? શરીરની મૂતિ ગઈ એટલે બધું જ ગયું, પછી રાજ્ય કચાંથી રહે ? આ ધર્મની આગળ ‘બધી વસ્તુ તુચ્છ છે’ એવું એ હૈયું કબૂલ કરતું હતું. જો કે એ કુમા૨પાળ મહારાજા રાજ્ય છોડી શક્યા નહોતા, છોડવાની તૈયારી પણ નહોતી, પણ છોડવા જેવું છે - એ તો હૈયામાં હતું જ. એ હોય તો જ ભાવના, વિચાર, ક્રિયા બધું શુદ્ધ થાય. માટે જ્ઞાની કહે છે કે, જ્યાં બેઠા છો ત્યાંની અસારતા તો લાગવી જ જોઈએ અને ધર્મોપદેશકે એ લગાડવી જ જોઈએ. ‘સંસાર અસાર છે’ - એમ થાય એટલે ઘર પણ અસાર છે, એ તો આવી જ જાય ને ! ન આવતું હોય તો કહેજો.
323
-
24
જે કોઈ કહે કે ‘આનંદપૂર્વક સંસારમાં કાર્યવાહી કરી રહ્યો હતો, તેમાં સંસારની અસારતા બતાવી ઊલટો મૂંઝવી નાખ્યો : એ હવે સંસારમાં પોતાનો ઉદય શી રીતે કરી શકે ?’ તેને કહેવું જોઈએ કે, ‘અમે તમારા સંસારના એટલે કે વિષયકષાયના ઉદયને ઇચ્છતા નથી, અત્યારે તો તમારા આત્માનો ઉદય જોવો છે અમને તમારા ભોગવિલાસની ઇર્ષ્યા નથી પણ એમ તો થાય કે આ લાલપીળામાં લીન થયા તો બિચારા દુર્ગતિમાં વહ્યા જશે.' માટે જ સંસાર હેય છે એ વગેરે કહેવું પડે છે.
Jain Education International
૪૭
શાસ્ત્રકાર વર્ણવે છે તે રીતની અસારતા જો જચી જાય, તો તો અશુભોદય પણ શુભ કાર્યવાહીમાં પલટાઈ જાય અને આખી દુનિયા પગે પડે, પણ વાત એ છે કે એવી અસારતા જચી છે કચાં ? જો શ્રી જિનેશ્વર ભગવાને કહેલી યોગ્યતા આવી જાય તો દરિદ્ર હોય તેને પણ બધા નમવા મંડી પડે : તીવ્ર પાપોદયની વાત ન્યારી છે.
ઇલાચીકુમાર અને નટડી :
સંસારની અસારતા યોગ્ય રીતે સમજાય, તો કાર્યવાહી આખી ફરી જાય. પુણિયા શ્રાવક પાસે લક્ષ્મી હતી ? નહોતી. છતાં ભગવાન શ્રી મહાવીરદેવે એની પ્રશંસા કરી. માનો કે ભગવાન તો ત્યાગી હતા તે પ્રશંસા કરે, પણ શ્રેણિક મહારાજા પણ એની પ્રશંસા કરે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org