SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨ –––– w તજવા માટે, હેય એટલે તજવા યોગ્ય તથા ઉપાદેય એટલે આદરવા યોગ્ય પદાર્થોનું જ્ઞાન મેળવવા યત્ન કરવો જોઈએ. જે ઝાડ ન જોઈએ, તેનાં મૂળિયાં કાઢી નાંખવામાં આવે તો પંચાત મટી જાય. જો દુઃખ ન જોઈએ, તો તેના મૂળ કારણભૂત રાગ, દ્વેષ તથા મોહને કાઢવા પ્રયત્ન કરવો જોઈએ. શો પ્રયત્ન ? હેય તથા ઉપાદેય પદાર્થોનું જ્ઞાન મેળવવાનો ! સમજનારે તો આ પ્રયત્ન કરવો જ જોઈએ. જ્યારે સમજનારે આ પ્રયત્ન કરવાનો છે, ત્યારે સમજાવનારે શું સમજાવવું જોઈએ ? હેય અને ઉપાદેય પદાર્થો, એ સમજાવે તો જ ઉપકાર કરી શકે : પણ તદ્રુપે ન સમજાવે તો ? માટે આ મહાત્મા પહેલું જ આ સમજાવી રહ્યા છે કે, સંસાર એ દુઃખ: અને સંસારી એટલે દુઃખી માટે સંસાર પણ હેય અને સંસારીપણું પણ હેય ! ત્યારે ઉપાદેય શું રહ્યું ? મુક્તિ. હવે એ મુક્તિના સાધનરૂપ ધર્મને જાણવાની ઇચ્છા પેદા થવી જોઈએ કારણ કે એ જિજ્ઞાસા પ્રથમ થાય, ત્યારે જ આગળના ગુણોની પ્રાપ્તિ સહજ થાય છે. જિજ્ઞાસા એટલે જાણવાની ઇચ્છા : પણ એ થાય કયારે ? જ્યાં પોતે બેઠો છે, ત્યાં શંકા અગર ભયની દૃષ્ટિ પેદા થાય ત્યારે ! ત્યાં પારકાપણાનું ભાન થાય ત્યારે ! આત્માને દુઃખ થાય છે, આવું લક્ષ્યમાં આવે ત્યારે ! આવું થાય તો ધર્મની જિજ્ઞાસા પેદા થાય. કરવું પડે માટે કરે અને કરવું જોઈએ માટે કરે - આ બેમાં કેટલું અંતર ? આમાં તો આભ-જમીન જેટલું અંતર. એ અંતર ભેદવાનો આ પ્રયત્ન છે. ધર્મની સાચી જિજ્ઞાસા કેળવો! ધર્મની સાચી જિજ્ઞાસા પેદા થઈ જાય, તો તો સાંભળતાં આનંદ આવે : શુદ્ધ સંભળાવનાર જે રીતે સંભળાવે તે રીતે સાંભળવામાં આનંદ આવે, વિદ્યાર્થી શિક્ષકને શું કહે ? જે રીતે યોગ્ય થાઉં તે રીતે શીખવો એમ કહે, કે મારું મોં જોઈને વર્તો એમ કહે ? માબાપ છોકરાને વેપારીને ત્યાં શીખવા મુકે ત્યારે શું કહે ? કહે કે શેઠ કહે તેમ કરજે, ધક્કા ખવરાવે તો ખાજે, કંટાળીશ નહિ, તો શેઠની મહેરબાની થશે અને આવડત આવશે. ઝવેરીને ઘેર નવો છોકરો શીખવા આવે, ત્યારે ઝવેરી કેવો વર્તાવ કરે તેની ખાતરી કરજો. જિજ્ઞાસા થશે ત્યારે શંકા રહેશે જ નહિ. જિજ્ઞાસા નથી એનું જ આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004826
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & agam_acharang
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy