SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ભવનો ભય અને ધર્મજિજ્ઞાસા જિનાગમ ન હોત તો શું થાત ? ધર્મની જિજ્ઞાસા ક્યારે થાય ? ધર્મની સાચી જિજ્ઞાસા કેળવો ? સંસાર નિ:સંસાર છે : દોષિતમાં ગુણનો આરોપ ભયંકર છે : ♦ ઇલાચીકુમાર અને નટડી : ૦ પડતાનાં દાંત ન લેવાય : 24 ♦ પડવાની બીકે ચડવાનું બંધ ન કરવું જોઈએ : ૭ થોડી પણ આરાધના અવશ્ય ફળે છે ! વિષય : શાસ્ત્રપરિજ્ઞા વિવરણમ્ - પીઠિકા ચાલુ શાસ્ત્રસમર્પિતતાનું અનન્ય મહત્ત્વ પ્રતિપાદિત કરતાં પૂ. પ્રવચનકારશ્રીજીએ સૂરિપુરંદરશ્રી હરિભદ્રસૂરિજી મ.નો આગમ બહુમાન ૫૨ શ્લોક ટાંકી તેનો ભાવ ખોલ્યો છે. હેય-સંસાર અને ઉપાદેય મોક્ષ અને મોક્ષાર્થે સંયમ એ વાતના અનુસંધાનને આગળ વધારતાં ધર્મની સાચી જિજ્ઞાસા કેળવવાનું કહ્યું છે. એ માટે શ્રદ્ધાસંપન્ન શ્રોતા અને ગીતાર્થ વક્તાની જુગલબંદી થાય તો કલિકાલમાં પણ શાસન કેવું એકછત્રી બની જાય તે વીતરાગસ્તોત્રાધારે સમજાવ્યું છે. આવા જ શ્રદ્ધાસંપન્ન શ્રોતા જિનભક્ત શ્રીકુમારપાળ મહારાજાની આરતીનો પ્રસંગ આંગોપાંગ વર્ણવી છેલ્લે ઇલાયીકુમારને સંયમી સાધુનાં દર્શને કેવો લાભ થયો એ વાત દ્વારા સંયમનું મહત્ત્વ સમજાવી સાધનામાં ચડતા જીવોનું જ દૃષ્ટાંત લેવાની સલાહ આપી પ્રવચનની પૂર્ણતા કરી છે. મુલાકાતૃત ♦ દુનિયાનો એક પણ અયોગ્ય વિચાર જૈનશાસનમાં ન હોય. ♦ સત્ય તરફ રુચિ અને અસત્ય તરફ અરુચિ એટલે જ સમ્યગ્દર્શન. ♦ સંસાર એ દુઃખ અને સંસારી એટલે દુઃખી : માટે સંસાર પણ હેય અને સંસારીપણું પણ હેય ! ♦ નિર્દોષ ચીજમાં ગુણારોપ કરી પૂજાય તો લાભ આપે, પણ દોષવાળી ચીજમાં ગુણનો આરોપ કરી, એને પૂજાય તો દોષની પુષ્ટિ થાય. ♦ ‘વસુ વિના નર પશુ’ - આ વચન લૌકિક છે : ધર્મશાસ્ત્રનું નથી. વસુ વિનાનો પણ ધર્મી, દીન ન હોય. એને દૈન્યવૃત્તિ જ ન થાય. Jain Education International ♦ અશુભ વિચાર કે પાપપ્રવૃત્તિ કરતાં પહેલાં સો વખત વિચાર કરજો, પણ પ્રભુના માર્ગે જવાનું મન થાય તો તત્ક્ષણ જજો ! * શુભ ભાવ કોક જ વાર આવે, એ વખતે જો વિચારવા રહ્યો તો પરિણામ ખસતાં વાર નહિ લાગે. ♦ પડવાની બીકે નહિ ચડેલા કરતાં શુદ્ધ ભાવનાપૂર્વક ચડીને કર્મના યોગે પડેલા ઘણા ઊંચા છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004826
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & agam_acharang
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy