SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭ -- - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨ - 302 માટે જ વિષયમાં સુખ લાગે છે. તપશ્ચર્યાનો અભ્યાસી આત્મા, જે એકાંતરે ઉપવાસ કરનારો છે અને અડતાલીસ કલાકે એકવાર ખાનારો છે, તેને દિવસમાં બે વાર ખાવાનું કહો તો ના પાડશે અને કહેશે-“મને તો અડતાલીસ કલાકે એકવારથી અધિક વખત નહિ ખાવામાં જ મજા આવે છે....પણ આ વાત ખાનપાનમાં જ રાચી રહેલાઓને ગમે ? જ્ઞાની પુરુષો તો કહે છે જ, પરંતુ વૈદક શાસ્ત્ર પણ કહે છે કે “રસ એ રોગનું કારણ છે. “રસ શું? વિગઈ. વિગઈ રોગનું કારણ. હવે શાસ્ત્ર એમ કહે એમાં ખોટું શું ? શરીર નીરોગી રાખવું હોય તો પણ રસથી વિરક્ત રહેજો, વિકૃતિ બળાત્કારે આત્માને દુર્ગતિમાં લઈ જાય. વિકૃતિના સેવકને દુર્ગતિમાં ન જવું હોય તો પણ વિકૃતિ લઈ જાય. પાપમાં એ ગુણ કે પાપ કરનારને હેરાન ન થવું હોય તો પણ એ હેરાન કર્યા વિના રહે જ નહિ. સ્વાદિષ્ટ ચીજ આધીન થઈ લેવાય, તો પથારી સેવવી પડે એમાં કાંઈ આશ્ચર્ય નથી. અસંયમ ઉપરની પ્રીતિ ઘટે, તો જ સંયમનું સુખ સમજાય અને સંયમ ઉપર પ્રીતિ થાય. સંસારના ભય વિના ધર્મપ્રેમ ન જાગે અને આથી જ જ્ઞાની પુરુષો પહેલાં સંસારની અસારતા બતાવે છે. ઘણા કહે છે કે “ભવને ભયરૂપ કહેવાય ?' પણ શાસ્ત્રકાર કહે છે કે જેવો હોય તેવો કહેવો જ પડે.” ચાર પ્રકારના દીકરા : આ ટીકાકાર મહાત્મા કહે છે કે રાગ, દ્વેષ અને મોહથી અભિભૂત હોવાના કારણે શારીરિક અને માનસિક દુઃખથી પીડાતા બધાય સંસારી આત્માઓએ હેય એટલે તજવા યોગ્ય અને ઉપાદેય એટલે અંગીકાર કરવા યોગ્ય પદાર્થોનું જ્ઞાન મેળવવું જોઈએ એ જ્ઞાન મેળવવા યત્ન કરવો જોઈએ. આ ઉપદેશ કોના માટે અપાય છે ? શાસ્ત્રમાં કહ્યા મુજબ જે સંસારમાં દુઃખ માનતા હોય, જેમને એ દુઃખ ન ગમતું હોય અને જેઓને એથી છૂટવું હોય તેને માટે ! જ્ઞાનીનો ઇરાદો એ જ કે “બધાનાં દુઃખ દૂર થાય અને સુખના ભાગી બને-પણ બનવું હોય તેને ને ? ન બનવું હોય તેને માટે શું? માબાપ બાળકને સુધારવા બંધાયેલાં, પણ અવસરસર ખવરાવે તે ખાય, પીવરાવે તેમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004826
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & agam_acharang
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy