________________
297
- ૨ : હેય અને ઉપાદેયનો વિવેક - 22
–
૨૧
પણ સ્વીકાર નથી. વ્યવહારમાં પણ પ્રામાણિક આડતિયા સાથે મેળ રખાય, દાક્ષિણ્ય રખાય, પણ કયાં સુધી ? બે-પાંચ રૂપિયાની છૂટ માટે, પણ ચોપડા ઉથલાવવા માટે નહિ ! એ આડતિયા તમારા ચોપડાને પણ ન ગણકારે, તો તો તમે કોર્ટમાં દોડો કે નહિ ? માલ લઈ જાય અને જવાબ ઉઠાઉગીરીનો આપે ત્યાં દાક્ષિણ્ય રાખો ? કહો ને કે નહિ જ. કહો છો ને કે “દાક્ષિણ્ય કેટલા પૂરતું ? પચાસના પિસ્તાલીશ લઈએ એટલા પૂરતું ઠીક છે, બાકી વધુ ન સચવાય. સાથે જમ્યાનો સંબંધ સચવાય તો સારું !' ચાંલ્લો ક્યાં કરો ? કહો ને કે આવ્યા હોય એને ત્યાં. કોઈને બે, કોઈને પાંચ, કોઈને દશ કેમ ? એને ત્યાંથી આવ્યા એટલા કરવાના ! કોઈને ત્યાંથી ન આવ્યા, તો તમે પણ કહી દો કે હું પણ ન આવું ' તમને પૂછે કે “કેમ નહોતા આવ્યા ?' તમે તરત કહો કે “તું કે દિ' આવ્યો હતો ?' કાંઈ કીધા વિના ઓછા જ રહો છો ? વ્યવહારમાં નહિ જેવા સ્વાર્થ માટે હાનિકર દાક્ષિણ્ય નથી રાખતા, તો અહીં આત્મકલ્યાણની સાધનામાં ખોટું દક્ષિણ્ય કેમ નભાવી લેવાય ? વ્યવહારની બાબતમાં સહુ સમજો છો કે ખોટું દાક્ષિણ્ય રાખીશું તો ઘર નહિ ચાલે-વેપારમાં ભીખ માગીશું.” અને ધર્મના પ્રસંગમાં એ વાતે બેદરકાર છો માટે પત્તો નથી લાગતો. તમને ખોટું લાગે તો તમે જાણો, પણ જે છે તે કહું છું.
ગોશાળાનો પરમ શ્રાવક સદાલપુત્ર, જ્યારે ભગવાન શ્રી મહાવીરદેવનો પરિચિત બન્યો, પ્રતિબોધ પામ્યો, સમજ્યો, કે તરત સન્માર્ગનો સ્વીકાર કર્યો અને ભગવાન શ્રી મહાવીરદેવનો પરમ શ્રાવક બન્યો. ગોશાળો ફરીને ત્યાં આવ્યો એટલે ગયો નહિ. ગોશાળાએ બોલાવવા શિષ્યને મોકલ્યા. શિષ્યોને મોકલવાનું કારણ ? ભગવાન શ્રી મહાવીરદેવ તો કોઈને બોલાવતા નહોતા ! ત્યાં તો એ હતું કે પુણ્યશાળી હોય તે આવે, ભાગ્યવાન હોય તે પામે અને તરવાની ભાવનાવાળા હોય તે તરે. જ્યારે ગોશાળાની બુદ્ધિ તો યેનકેન પ્રકારેણ સંખ્યાવૃદ્ધિ કરવાની હતી. ભગવાન વીતરાગ છે અને ગોશાળાને તો ખેંચવા છે ! શિષ્યોને સદ્દાલપુત્રે કહ્યું કે કહેજો કે હું હવે આવવા માગતો નથી.” ગોશાળો પોતે આવે છે : એને આવતો જોયો કે તરત આંખ નીચી ઢાળી. ગોશાળા પાસે આવ્યો. પૂછે કે કેમ “કેમ ન આવ્યો?’ સદાલપુત્ર કહે છે કે “હવે નહિ.” આ વખતે પણ આંખ તો નીચે ઢાળેલી જ હતી : રખે એની દૃષ્ટિની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org