________________
૨: હેય અને ઉપાદેયનો વિવેક
• ક્રિયાનું પ્રતિપાદન શા માટે ? • સંસારી માત્ર માટે મુખ્ય કર્તવ્યનું વિધાન • દષ્ટિરાગ પાપી છે : • ખોટું ઘલિય એ દોષ છે !
• વસ્તુનો જે સ્વભાવ તે ધર્મ : છે સંસાર દુઃખમય જ છે : • સંસારના ભય વિના ધર્મપ્રેમ ન જાગે : • ચાર પ્રકારના દીકરા :
વિષયઃ શસ્ત્રપરિજ્ઞા વિવરણ ટીકાનો પ્રારંભ - પીઠિકા
પૂર્વના પ્રવચનમાં મતિકલ્પનાના આધારે ચાલવાની અનિષ્ટતા સમજાવી પૂર્વમહાપુરુષોનાં વચનોની આધીનતાનું પ્રાધાન્ય સિદ્ધ કર્યા બાદ પૂ. પ્રવચનકારશ્રીએ આ પ્રવચનમાં ટીકાના આધારે પીઠિકા કરતાં હેય અને ઉપાદેયનો વિવેક સ્પષ્ટ કર્યો છે. એ વાતને વધુ વિગતથી સ્પર્શવા માટે વસ્તુનો સ્વભાવ એ ધર્મ' એમ જણાવી સંસારનું સ્વરૂપ પણ સ્પષ્ટ કર્યું છે. સંસાર હેય છે અને આત્માનો સ્વભાવ એટલે મોક્ષ એ જ ઉપાદેય છે. માટે સંસાર છોડી મોક્ષ મળે તેવા ઉપાયોનું આસેવન કરવાની હિતશિક્ષા સમર્પી છે. તે અંગે અભિજાત, સુજાત, નીચ અને કુલાંગાર એમ પુત્રના ચાર પ્રકાર બતાવી વ્યાખ્યાન પૂર્ણ કર્યું છે.
મુવાક્યાત
જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનનાં સાધનની અવગણના કરીએ તો જ્ઞાનાવરણીય કર્મ બંધાય અને
ભક્તિ-બહુમાન-નમસ્કારાદિ ક્રિયા કરીએ, તો જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય પણ થાય. • “મારું મારું કરવું અને દુઃખથી આઘા રહેવું, તે ન ભૂતો ન ભવિષ્યતિ. • રાગી, ઢષી અને મોહાંધ - એ સુખી હોય એ કદી બન્યું જ નથી. • આપણું જીવન જો આપણે સફળ કરવા માંગતા હોઈએ, તો આપણી ફરજ છે કે આપણે કેવળ
વ્યક્તિના જ અનુયાયી બની જવું જોઈએ નહિ અને કોઈ પણ કમાન્યતાના ગુલામ પણ બનવું
જોઈએ નહિ. • દેવનું કહેલું જ કહે એ ગુરુ. અગડંબગડે ગપ્પાં મારનાર ગુરુ નહિ ! • મકાનની ધજા જેમ વાયુથી ફરકે, તેમ વાયરે ફરકનારા ગુરુ નહિ! • લક્ષ્મી હોય તો સદુપયોગ કરવાની છૂટ છે પણ સદુપયોગના નામે પાપથી પેદા કરવાની છૂટ
નથી. • વડીલ પણ છે કે જે વારસામાં રહેલ આત્માનું હિત ચિંતવે. • સંસારની બધી બદબૂ છૂટે ત્યારે જ સંયમની સંપૂર્ણ ખુશબૂ આવી શકે. • અસંયમ ઉપરની પ્રીતિ ઘટે તો જ સંયમનું સુખ સમજાય અને સંયમ ઉપર પ્રીતિ થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org