________________
289
-
- ૧ : સમગ્દર્શનનો પ્રભાવ - 21 ---
મંત્રીએ તરત ત્યાંથી પાણી મંગાવી, રાજાની સમક્ષ તે પાણીને વિધિપૂર્વક નિર્મળ કરી બતાવ્યું, રાજા વિસ્મય પામ્યો અને પૂછ્યું કે “તેં આ શી રીતે જાણ્યું ?'
મંત્રી : “મારા શ્રી જિનેશ્વરદેવના મુનિવરોએ કહ્યું છે. સારી કે નરસી ચીજ, એ સંયોગને આધીન છે. ઘઉંના આટાથી મિષ્ટાન્ન પણ બને અને રોટલા પણ બને. જેવા સંયોગો તેવું રૂપાંતર. સારા-ખોટાપણાનું કારણ સંયોગ છે. તો ખાલી રાગદ્વેષ કરવાથી ભલું થાય શી રીતે ? રાજન ! મેં આ બધી મહેનત આપની દૃષ્ટિ ઉઘાડવા માટે કરી છે. રસોઈનાં વખાણ ન કર્યા, તેનું પણ કારણ આ જ. એક પર રાગ અને એક પર દ્વેષ કરવાથી ફાયદો શો ?”
રાજા : “બસ, મને સત્વર તારા મુનિવર પાસે લઈ જા. આવા દેવ, આવા મુનિ અને આવો ધર્મ તો અનુપમ, કે જ્યાં વસ્તુનું સત્ય જ્ઞાન થાય અને એથી રાગદ્વેષ દૂર થાય.”
આટલી મહેનતના પરિણામમાં તે સુબુદ્ધિ મંત્રીએ રાજાને મુનિનો યોગ પમાડ્યો અને પરિણામે રાજા અને મંત્રીશ્વર ઉભયે સંયમ અંગીકાર કર્યું અને આત્મકલ્યાણ સાધ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org