________________
૧૭ : જમાનાની હવામાં ધર્મ નથી - 37
मङ्गलत्वमुक्तमेवेति न प्रतन्यते, सर्वमेव वा शास्त्रं मङ्गलं, ज्ञानरूपत्वात्, ज्ञानस्य च निर्जरार्थत्वात्, निर्जरार्थत्वेन च तस्याविप्रतिपत्तिः, यदुक्तं -
517
'जं अन्नाणी कम्मं खवेइ बहुयाइं वासकोडीहिं ।
तं नाणी तिहिं गुत्तो खवेई उस्सासमित्तेणं ।। १ ।। '
'
“मङ्गलशब्दनिरुक्तं च मां गालयत्यपनयति भवादिति मङ्गलं, मा भूद्गालो विघ्नो गालो वा नाशः शास्त्रस्येति मङ्गलमित्यादि, शेषं त्वाक्षेपपरिहारादिकमन्यतोऽवसेयमिति । તે મંગલ- ‘આદિ, મધ્ય અને અવસાન' એમ ત્રણ પ્રકારે છે.
તેમાં
૧. પ્રથમ મંગલ- “સુર્ય મે આડસ ! તેનું માવવા વમવવાય"ઇત્યાદિ, આ પ્રથમ સૂત્ર છે. આ સૂત્રમાં ભગવાન શ્રી અરિહંતદેવના વચનનો અનુવાદ એ મંગલ છે અથવા ‘શ્રુતમ્ ' એટલે શ્રુતજ્ઞાન અને તે શ્રી નંદીસૂત્રની અંદરનું હોવાથી મંગલ છે. વળી આ મંગળ અભિલષિત શાસ્ત્રના અર્થને નિર્વિઘ્નપણે પાર પામવામાં કારણરૂપ છે.
"
૨. મધ્ય મંગલ- “સે નન્હા . વિ દૂર પડિપુને ચિદ્રુફ સત્તિ મોમ્મે વસન્તરણ સારવામાળે ” ઇત્યાદિ, આ ‘લોકસાર' નામના પાંચમા અધ્યયનના પાંચમા ઉદ્દેશાનું સૂત્ર છે. આ સૂત્રમાં દ્રહના ગુણોથી આચાર્યના ગુણોનું ઉત્કીર્તન છે અને આચાર્યો નમસ્કારની અંદરના હોવાથી મંગલરૂપ છે. વળી આ મધ્ય મંગલ અભિલષિત શાસ્ત્રાર્થને સ્થિર કરવા માટે છે.
૩. અવસાન મંગલ- “મિનિનુg ગમા આવાણુ માનું સમિયાસી” આ નવમા અધ્યયનમાં આવતું અવસાન સૂત્ર છે. આ સૂત્રમાં ‘અભિનિવૃત્ત ’નું ગ્રહણ છે અને તે અવિવાદપણે સંસારરૂપ મહાવૃક્ષના સ્કંદના ઉચ્છેદ માટે ધ્યાન કરાવનારું હોવાથી મંગલ છે અને આ અવસાન મંગલ શિષ્ય અને પ્રશિષ્યની પરંપરાના અવિચ્છેદ માટે છે.
..
આ ત્રણે મંગલોમાં અધ્યયનમાં રહેલાં સૂત્રોનું મંગલપણું પ્રતિપાદન કરવાથી, અધ્યયનોનું મંગલપણું પણ કહેવાઈ જ ગયું છે, માટે અધિક કહેવાની જરૂર નથી.
અથવા
શાસ્ત્ર, જ્ઞાનરૂપ હોવાથી અને જ્ઞાન નિર્જરા માટે હોવાથી સમગ્ર જ શાસ્ત્ર મંગલ છે. જ્ઞાનના નિર્જરાર્થ માટે કોઈ પણ જાતનો વિવાદ જ નથી, એટલે કે જ્ઞાન એ નિર્જરા માટે જ છે, એ નિર્વિવાદપણે
Jain Education International
૨૪૧
For Private & Personal Use Only
www.jainelibrary.org