________________
513
– ૧૬ : અશાની આધીનતા એ મહામંગળ - 36
– ૨૩
તો ગુરુ પ્રત્યે વિનય કેવો, કેટલો અને કઈ રીતનો જોઈએ ? જે જાતનો વિનય જોઈએ, તે જાતનો આવતો નથી, કારણ કે બહુમાનની ખામી છે. માટે હૃદયથી બહુમાનવાળા બનવું પડશે. જે જ્ઞાન મેળવવું હોય, તેના જોગી લાયકાત મેળવવી પડશે. જ્ઞાન લીધા બાદ પણ ગુરુને અંત સુધી વિસારી નહિ દેવાય. ગુરુએ ભણાવ્યા મુજબ જ સૂત્રનો ઉચ્ચાર, અર્થ, વ્યંજન અને સૂત્રનો અર્થ બેય કરવા પડશે. આવી આધીનતા મેળવે, કેળવે, તો જ્ઞાનનો ભાગીદાર થાય.
આ ભગવાન શ્રી સુધર્માસ્વામીને, પોતે ચાર જ્ઞાનના ધણી છતાં, સૂત્રની શરૂઆત કરતાં “આ ભગવાન શ્રી મહાવીરદેવે કહ્યું' - એમ કહેતાં આંચકો આવતો નથી, પણ બહુમાનપૂર્વક કહે છે કે, “ભગવાન શ્રી મહાવીરે કહ્યું તે એમની સેવામાં રહેતા એવા મેં સાંભળ્યું અને હવે ક્રમસર કહું છું.' કોઈ પૂછે કે બારોબાર સાંભળ્યું ?' કહે છે કે, “ના, ભગવાન જીવ્યા ત્યાં સુધી હું ભગવાનની પાસે જ હતો.” આવા કેમ નહિ ? આજ્ઞા કરે અને જાય એ વાત જુદી, પણ શિષ્યની ઇચ્છા કઈ હોય ? પાસે રહેવાની કે આઘા રહેવાની ? એમની પાસે જે હોય તે બધું મળે એ ઇચ્છા હોય. એમની જીવનપર્યત સેવાની જ ભાવના હોય.
ભગવાને કહ્યું તે મેં સાંભળ્યું, તે કહું છું’ - આ શાને લઈને કહેવાય છે ? ભગવાન પ્રત્યેની આધીનતાને લઈને ! સ્વયં દ્વાદશાંગીના પ્રણેતા, ચાર જ્ઞાનના ધણી, કઈ વિધિથી શરૂઆત કરે છે ? પંદરસો તાપસ કંઈ પણ ન સમજનારા છતાં એમને એકદમ કેવળજ્ઞાન થઈ જાય, એ શાથી ? પ્રભુની આધીનતાને લઈને ! ભગવાન શ્રી ગૌતમસ્વામીજીએ કહ્યું કે “મારા પણ ગુરુ છે.” તાપસો ચોંક્યા કે “આમના પણ ગુરુ ! એ કેવાક હશે?” આટલી પ્રભુની આધીનતા, એ જ તાપસોને કેવળજ્ઞાનનું કારણ બન્યું. આજ્ઞાધીનતા એ મહામંગળ છે :
સિદ્ધપુરુષની તથા આજ્ઞાની આવી આધીનતાને લઈને, અનુષ્ઠાનોમાં એકતાનતાના પ્રતાપે, આ મહાપુરુષો સાધી ગયા. શ્રી જિનેશ્વરદેવની સેવા, પૂજા, નમસ્કાર એ મંગળ તો છે જ, પણ આજ્ઞાધીનતા એ તો મહામંગળ છે. સેવા એ મંગળ, ઉપાસના એ મંગળ, ભક્તિ એ મંગળ, પણ આજ્ઞાધીનતા એ મહામંગળ ! સેવામંગળ કયારે ફળે ? આજ્ઞાધીનતા હોય તો !
‘ભગવાને આ પ્રમાણે કહ્યું તે કહું છું " - આમાં આજ્ઞાધીનતા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org