SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ – – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨ - - - 310. ત્યાં શિથિલતા ન ચાલે. ત્યાં તો સમર્પિત થવું જોઈએ. અનુષ્ઠાનોની સિદ્ધિ માટે ગમે તેવા પ્રસંગોને પહોંચી વળવા તૈયાર થવું જોઈએ. મેલી વિદ્યા સાધનારો પણ કાળી રાત્રે, મધ્ય રાત્રે સ્મશાનભૂમિમાં નીડરપણે જાય, કૂંડાળામાં બેસે, મંત્રની સાધના ચલાવે, એ વખતે ઘોંઘાટ ગમે તેવો થાય પણ એ જાપ ન ચૂકે, જાપ ચાલુ જ હોય તથા જાપ આપનાર પુરુષ પ્રત્યે બહુમાન રાખે, અને સાધનાથી ચળે નહિ, ચળે તો શું થાય ? ગાંડો. આ તો તુચ્છ વિદ્યા માટે ! અને આ સાધના કોની ? અવ્યાબાધ પદની, શાશ્વત પદની, મોક્ષની ! એ સાધના કેમ થાય ? સિદ્ધપુરુષની આજ્ઞાથી જીવન રંગાય ત્યારે ને ? પોતાથી ન બને તો પશ્ચાત્તાપ કરે, પણ “જરૂર શી ?' એમ તો ન જ કહે. સાધનને હલકાં પાડવાનું તો ન જ કહે ! ‘ત્રિકાળપૂજન, ઉભય ટંક આવશ્યક અને વ્યાખ્યાનશ્રવણ, સામાયિક વગેરે કરીએ, તો ધંધો કયારે કરીએ ? એ ન થાય તોયે શું?' - આવું તો ન જ કહે. ‘હું પામર નથી કરી શકતોએમ કહે, પણ “આ કરવાની જરૂર શી છે ?” અથવા “આ બધાં સાધનોને પોલો કરો !” – એમ તો ન જ કહે ! સાચા સાધક બનો ! - દુનિયા આગળ વધે છે, અમે પાછળ કેમ રહીએ, આ જમાનો જુદો છે, આ જમાનામાં એ બધું ન ચાલે” – આ ભાવનાઓ આવી કે સમ્યકત્વ ગયું. પ્રભુનું શાસન હોય ત્યાં સુધી અનુષ્ઠાનો બિનજરૂરી છે, એમ કહેવાય ? જ્યારે એ બિનજરૂરી લાગ્યાં, ત્યારે તો શાસનથી બહાર ગયા, એમ જ માનો. ગમે તેવા સંયોગોમાં સમ્યગ્દષ્ટિ અથવા વ્રતધારી રાજાઓ, યુદ્ધમાં પણ આવશ્યક ક્રિયા ચૂકતા નહોતા. દુશ્મનના પ્રહારો સામે પણ વત ગુમાવતા નહોતા. જો તમને પ્રભુભાષિત અનુષ્ઠાનો પ્રત્યે, પ્રભુની આજ્ઞા પ્રત્યે, ધર્મ પ્રત્યે, શાસન પ્રત્યે, સાધ્ય પ્રત્યે અનુરાગ ન જાગે તો સાધક શાના ? | મુનિપણું ન બને, પણ આ શ્રાવકપણું તો બનેને ! વધારે નહિ તો ત્રિકાળપૂજા, વ્યાખ્યાનશ્રવણ અને ઉભય ટંક આવશ્યક એ તો ખરુંને? “રોજ જરૂર શી ?' - એમ બોલાય તો સમ્યકત્વ શી રીતે રહે ? સાધક બન્યા વિના સિદ્ધિ થાય શી રીતે ? સિદ્ધપુરુષને, એમની આ જ આજ્ઞાને, એમણે કલ્યાણાર્થે બતાવેલાં અનુષ્ઠાનોને વળગી રહો તો જ સિદ્ધિ થાય. ‘ાર્ય સાધન વા વૈરું For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004826
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & agam_acharang
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy