________________
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ૨
અનુભવનો અભ્યાસ કરો તો સમજાય, પણ તમારી દૃષ્ટિ જુદી પડી ગઈ છે, માટે તો કહું છું કે એક વાર એક વસ્તુ નિશ્ચિત બનાવો, અને તે એ કે કરવા યોગ્ય શું ? અને તે શા માટે ? તમે કરતા ગમે તે હો, પણ તમારી ભાવના કઈ હોવી જોઈએ ? - એ નક્કી કરો. માટે જ ભગવાન શ્રી ઉમાસ્વાતિજી મહારાજે તો કહ્યું કે સામાને રોષ થાય કે તોષ થાય, પણ હિતકારી ભાષા તો અવશ્યમેવ કહેવી જ જોઈએ. હિતની આશા રાખીને સાંભળવા આવનાર પાસે, એની શરમમાં પડીને કે એનાથી લેવાઈ જઈને હિતની વાત ન કહે, તો એના જેવો વિશ્વાસઘાતી બીજો કોણ ? કસાઈ તો ગણતરીનાં ઢોર મારે, પણ ધર્મગુરુ તો ધર્મને છોડી બીજે માર્ગે લઈ જાય તો એ એનાથીયે બૂરો !
૨૨૨
સ્થાન ઊંચું તેમ જોખમદારી વધારે :
આ પદવી જેટલી મોટી, તેટલી જ ભૂલ થાય તો હાનિ કરનારી છે. સ્થાન જેટલું ઊંચું, તેટલું જ ગબડી જવાય તો નીચે લઈ જનારું છે. રોજ રૂપિયો કમાનારો શું દેવાળું કાઢે ? એને તો મળે એમાંથી ખાવાનું. મૂડીવાળો દેવાળું કાઢે. એમાં પણ સોવાળો, હજારવાળો અને કરોડવાળો દેવાળું કાઢે એમાં કેટલો ફેર ? કરોડવાળો દેવાળું કાઢે એમાં હજારો મરી જાય અને એની પોતાની શી હાલત ? જેટલી સ્થિતિ ઊંચી, સ્થાન ઊંચું, તેટલું જ પતન નીચું : જો પડી જવાય તો ! જેમ ધર્મ ઊંચો તેમ જવાબદારી પણ મોટી. જોખમ પણ મોટું. પાટે બેસવામાં પણ જોખમ મોટું છે. સાંભળનાર માને કે આ જે બતાવે તે સાચું અને જ્ઞાનીએ કહેલું હોય, પછી પાટે બેસનાર બીજું બતાવે તો એના જેવો વિશ્વાસઘાતી બીજો કયો ? માતા ખવરાવે તે બાળક ખાય, પિવરાવે તે પીએ, સુવાડે ત્યાં સૂએ. બાળકને વિશ્વાસ છે કે માતા અહિત કરે જ નહિ. હવે આવા વિશ્વાસુ બાળકને જે માતા ઝેર પાય તે માતાને માટે શું કહેવું ? માબાપ તો થોડાં સ્વાર્થી પણ, ગુરુ તો કેવળ નિઃસ્વાર્થી જ. તો માબાપ કરતાં પણ એમની જોખમદારી અનેકગણી વધે છે.
498
સભા : અમૃત માનીને ઝેર પાય તો ?
અમૃત માનીને ઝેર પી જુઓને ? બચાય ? એ માટે તો શાસ્ત્ર કહ્યું કે, સૂત્રોત્તીર્ણ સાંભળવા કરતાં કાનમાં ખીલા ઠોકવા સારા. બધા સમજે કે આ તો હિંસા, જૂઠ, ચોરી, મૈથુન, તથા પરિગ્રહના ત્યાગી મુનિ છે. ઘરબાર-પૈસોટકો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org