________________
૧૫: ધર્મોપદેશ કટુ પણ હિતકર જોઈએ?
હિતકર વસ્તુ અવશ્ય કહેવી ?
ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી ફરમાવે છે કે, શ્રી અરિહંતદેવનાં વચનોનો અનુયોગ ન થાય, એટલે કે એ સમજવા કે સમજાવવામાં ન આવે, ત્યાં સુધી સાચો વિવેક પેદા થતો નથી અને સાચો વિવેક પેદા ન થાય ત્યાં સુધી હેય-ઉપાદેય પદાર્થનું જ્ઞાન થતું નથી, એ જ્ઞાન વિના રાગ, દ્વેષ અને મોહ ઘટતા નથી, અને તેથી એની સાથે જ સંધાયેલાં દુઃખ જતાં નથી : અને દુઃખ ગયા વિના સુખની પ્રાપ્તિ થતી નથી, માટે સુખના અર્થીએ સુખના અર્થી પ્રાણીને માટે શ્રી અરિહંતદેવના વચનનો જ અનુયોગ કરવો જોઈએ. જેટલી હોય તેટલી બધી જ તાકાત અજમાવીને જગતના જીવોની સન્મુખ અરિહંતદેવના માર્ગને બરાબર મૂકવો જોઈએ. કારણ કે, એમાં જ જગતનું કલ્યાણ છે. એ સિવાય દુનિયાની કોઈ પણ વસ્તુથી આત્માનો ઉદય નથી થઈ શકતો.
અનાદિ કાળની વાસનાઓ ખૂબ પરિચિત છે, એટલે શ્રી અરિહંતદેવનાં વચનો અપરિચિત હોઈ, એ ચીજને બધા અપનાવે, બધા એમાં લીન થાય, એવું કોઈ કાળે બનતું નથી. પણ થોડા તો થોડાક જેટલા પામ્યા અને પામશે તે બધા અનંત સુખના ભોક્તા બન્યા અને બનશે, પ્રાણી માત્રને સુખી કરવાની અભિલાષાવાળો સુખના અર્થને સુખનું સાધન હોય તે જ આપે. એ આપનાર, જો સમાજની જ ઇચ્છા જોવા બેસે, તો મારી નાખે, સાચો ચિકિત્સક ચિકિત્સા કર્યા બાદ યોગ્ય જ ઔષધ આપે, પણ દરદી માગે તે ન આપે. જો એ ચિકિત્સક ઢીલો થાય, તો તો એ દરદીનો ઘાતક બને,
ભગવાન શ્રી ઉમાસ્વાતિજી મહારાજ કહે છે કે, સામાના રોષ કે તોષની પરવા કર્યા વિના, હિતકારી ભાષા અવશ્યમેવ કહેવી જોઈએ. સામાનું હિત કરવાની ભાવનાવાળાને સામાને કેવું લાગશે એ જોવું ન પાલવે. હિતકર કહેતાં સામાના રોષની દરકાર કરે, તો કાર્યસિદ્ધ ન થાય. જેને રખડવું હોય તેને કોઈ શિખામણ દે ત્યારે તેને ગુસ્સો આવે તે તો ઠીક, પણ બીજો કોઈ સારી ક્રિયા કરતો હોય તે જોઈને, તે જાણીને પણ ગુસ્સો આવે ? હીનભાગી દરિદ્ર આત્મા એવા પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org