SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ – – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨ - 478 સિંહગુફાવાસી મુનિ આવ્યા. વેશ્યા દેખાવ પરખી ગઈ કે આ શ્રી સ્થૂલિભદ્રજીનો વાદ કરવા આવ્યા છે, પણ ક્યાં એ અને કયાં આ ? મકાન માગ્યું, વેશ્યાએ આપ્યું. પરસનો આહાર કરી બેઠેલા તે મુનિની પરીક્ષા કરવા માટે મધ્યાહુનકાલ વેશ્યા, તે મુનિવર પાસે ગઈ. તે કમલાક્ષીને જોઈને તરત જ મુનિવર ક્ષોભ પામ્યા. સ્ત્રી અને તેનું ભોજન તેવા વિકાર માટે કેમ ન થાય? કામની પીડાથી યાચના કરતા તે મુનિને વેશ્યાએ કહ્યું કે, “હે ભગવન્! અમે તો વેશ્યા છીએ અને ધનદાનથી વશ થનારીઓ છીએ.” મુનિએ કહ્યું : “અમારી પાસે ધન ક્યાંથી હોય ?” વેશ્યાએ કહ્યું : “નેપાલ દેશનો રાજા નવા સાધુને રત્નકંબલ આપે છે તે લઈ આવો !” એ કામાંધ બનેલા મુનિ ચોમાસામાં પણ નેપાળ દેશમાં જઈને રત્નકંબલ લાવ્યા. વેશ્યાને આપી. વેશ્યાએ એ રત્નકંબલને ખાળના કાદવમાં નાખી દીધી. એ જોઈ મુનિ બોલ્યા કે 'अजल्पन्मुनिरप्येव-मक्षेप्यशुचिकर्दमे । महामूल्यो ह्यसौ रत्न-कम्बलः कम्बुकण्ठि किम् ? ।।१।।' “હે શંખ જેવા કંઠવાળી ! તેં આ મહામૂલ્યવાળા, રત્નકંબલને અપવિત્ર કાદવની અંદર કેમ ફેંકી દીધો?” આ પ્રશ્નના ઉત્તરમાં વેશ્યાએ કહ્યું કે 'अथ कोशाप्युवाचैवं, कम्बलं मूढ ! शोचसि । પુનરત્નમ શ્વ, પતi áરશો ?' હે મૂર્ખ ! તું કંબલનો શોક કરે છે, પણ નરકમાં પડતા ગુણરત્નમય પોતાને શોચતો નથી! વેશ્યાના એ વચનથી સંવેગ પામીને તે મુનિવરે કહ્યું કે, “સારું થયું કે તે મને બોધ પમાડ્યો.” હવે હું અતિચારથી લાગેલાં પાપોને ધોઈ નાખવા માટે ગુરુની પાસે જઈશ અને તને ધર્મલાભ હો !! વેશ્યાએ પણ માફી માગી કહ્યું કે, મેં બોધ પમાડવા માટે જ આપની આશાતના કરી છે. આપ જાઓ અને ગુરુના વચનને સ્વીકારો.' ભગવાન શ્રી સ્થૂલિભદ્રજી જેવાએ મક્કમ રહીને પ્રતિબોધેલી વેશ્યા પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004826
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & agam_acharang
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy