________________
૧૩ : વિઘ્નોનો સામનો કરે તે જ ધર્મ કરી શકે - 33
છે. દ્રવ્યાનુયોગમાં જીવ, અજીવ, ધર્માસ્તિકાય વગેરે છએ દ્રવ્યોનું ભેદાદિ દ્વારા સ્વરૂપવર્ણન છે. આ ત્રણેનું કામ શું ? એમાં ને એમાં જ રહી જવાય તો ? સાહિત્યવેદી બન્યા, ગણિતના પ્રોફેસર બન્યા, અને તત્ત્વોની આડી-ચોડી વાતો કરી, તેટલા માત્રથી મુક્તિ ન જ થાય ! જો વાતોથી મુક્તિ થતી હોત, બોલવા માત્રથી જ મુક્તિ મળી જતી હોત, તો તો બધા જ ચાલ્યા હોત, પણ તેમ નથી. માટે તો કહેવામાં આવે છે કે, એ બધાનો ઉપયોગ ‘ચરણકરણાનુયોગ'ની પ્રાપ્તિ માટે કરવામાં આવે, તો તો સફળ, નહિ તો નિષ્ફળ ઃ એટલું જ નહિ કિંતુ હાનિકર પણ થાય.
::
જ્ઞાન ભણો, પણ જ્ઞાનનું ફળ ન વિસારો !
‘હું વિદ્વાનમાં ખડું, મારી ખ્યાતિ થાય, સારા સારા આદમી પણ મારા ચરણોમાં ઝૂકે, હું પણ કંઈ છું એમ બતાવાય' - આવી આવી ઇચ્છા ખાતર, જો એ ત્રણે અનુયોગોનો અભ્યાસ થાય, તો તે ચોથા અનુયોગની રુચિ કે પ્રાપ્તિ ન થાય અને એ ચોથાની પ્રાપ્તિ કે રુચિ ન થાય, તો તે ત્રણે મુક્તિનાં કારણ હોવા છતાં પણ પલટાઈ જાય. માટે જ કહેવાય છે કે જ્ઞાન ભણતી વખતે ફળને વીસરવું નહિ. ફળને વીસર્યા તો જ્ઞાન ગયું. દુનિયાની કોઈ પણ ચીજ હાથમાં આવે કે પરિણામ વિચારવું જોઈએ. મનુષ્ય-દેહ મળ્યો, દેશ-જાતિ-કુળ બહું જ ઉમદા મળ્યું, કંઈ કમી છે ? આ બધું મળ્યા છતાં સફળ ન થાય, પણ જાય, અરે નિષ્ફળ જાય તો પણ દુઃખ ન થાય, પણ હાનિકર થાય તો દુઃખ કેમ ન થાય ? આવી સામગ્રીને હાનિકર થવા દેવી, એમાં કઈ બુદ્ધિમત્તા છે ? સામગ્રીના પરિણામને નહિ વિચારો અને યથેચ્છ વિહરશો, તો મળેલું નકામું જ નહિ, પણ નુકસાનકર્તા થવાનું છે. પચાસ રૂપિયા ધીરતાં પણ જેને આપો છો એ આદમી કેવો એ તો જુઓ છો ને ? એમ બધી વસ્તુને ફળની દૃષ્ટિએ વિચારો તો આત્મા સ્વયમેવ જાગ્રત થાય. સાધુ તો જ્ઞાનીએ કહેલું સંભળાવે, પણ તમે હૃદયપૂર્વક ન વિચારો તો પરિણામ ક્યાંથી આવે ?
469
પરિણત જનની સંખ્યા તો નાની જ હોય :
શાસ્ત્રમાં ચાર ગતિ કહી : દેવ, મનુષ્ય, તિર્યંચ અને ના૨કગતિ ! એમાં તિર્યંચગતિ અને નાકગતિ તો દુ:ખમય છે, એટલે એને જવા દો. ત્યારે લ્યો દેવગતિ અને મનુષ્યગતિ. દેવજીવન એ ભોગજીવન છે જ્યારે મનુષ્યજીવન
Jain Education International
- ૧૯૩
For Private & Personal Use Only
www.jainelibrary.org