________________
455
- ૧૨ : સન્માર્ગ સ્થાન- ઉન્માર્ગ ઉન્મેલન - 32
-
૧૭૯
શાસ્ત્ર કહે છે કે જે સંઘ આજ્ઞાથી વિરુદ્ધ વર્તે, તે જેવો તેવો ભયંકર નથી. મનુષ્ય જો મનુષ્ય મટી જાય, તો જંગલી પશુ કરતાં પણ વધારે ભયંકર છે. જંગલી પશુ તો સામે આવે એને મારે, મનુષ્ય તો યોજનાપૂર્વક બધી કાર્યવાહી કરે. જંગલી પશુ તો એક-બેને મારે, પણ મનુષ્ય ધારે તો લાખ્ખોના એકસાથે ફુરચા ઉડાડી દે, કારણ કે મનુષ્ય તો યોજનાથી બધું કરી શકે છે. મનુષ્ય જેટલો ઊંચો, તેટલો જ તે જો મનુષ્યત્વહીન થાય તો નીચો છે અને જેટલો સુંદર તેટલો જ ભયંકર છે. સામગ્રી સાથે બુદ્ધિ ભળી એટલે એ યોજના એવી કરે કે ભલભલાને રોવડાવે. પશુ તો સામે કોઈ આવે, ભેટે અને હડફેટમાં આવે તો જ મારે, જ્યારે મનુષ્ય તો તદ્દન અલગ રહેનારને પણ દૂર રહ્યો રહ્યો યોજનાથી ઉડાડે. મનુષ્ય ઊંચામાં ઊંચો, પણ જો તેનામાં ઉચ્ચતા ન રહે તો મહાભયંકર. કેવળ સ્વાર્થનિષ્ઠ બનેલા મનુષ્યો જેટલી હિંસા કોણ કરે છે ? કહેવું જ પડશે કે કોઈ જ નહિ. સાથે એ વાત પણ એટલી જ સાચી છે કે “જો મનુષ્ય, શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાનો રસિક બની જાય અને સન્માર્ગમાં સ્થિર થઈ જાય, તો તો તે પ્રાણીમાત્રનો રક્ષક પણ બની જાય. જે મનુષ્ય ષકાયનો વિરાધક હતો, તે જ માણસ ષટ્કાયનો રક્ષક બને. જે ઘાતક તે જ રક્ષક બને અને એ રક્ષકભાવને જો ખીલવે, તો સમતા વધે ને સમતા વધે તો પેલાં હિંસક અને જંગલી પશુઓ પણ એ માનવીના ચરણમાં ઢળે.
સમતા આદિના યોગે હિંસક આત્માઓ પણ અહિંસક બની જાય છે, એ વાત પણ હીણકર્મી આત્માઓ માટે નથી, કારણ કે અયોગ્ય આત્માઓની વાત જ કોઈ જુદી છે. શ્રી તીર્થંકરદેવના અતિશયો પણ હીનપુણ્યવાન, માટે કામ નથી આપતા. શ્રી તીર્થંકરદેવનો એ અતિશય છે કે સવાસો યોજનમાં કંઈ ઉપદ્રવ ન હોય. એવા સમયમાં પણ જે નગરીમાં ભગવાન વિચરતા હતા, તે નગરીમાં પણ તીવ્ર કર્મોદયે ભયંકર વેદના ભોગવતા અમુક આત્માઓ હતા. શ્રી તીર્થંકરદેવોનું પુણ્ય એટલું પ્રબળ હોય છે કે પાપના પરમાણુને પણ પલટાવી નાખે, છતાંયે તીવ્ર કર્મોદયની વાત જુદી.
શ્રી તીર્થંકરદેવોના પાંચે કલ્યાણક પ્રસંગે દેવલોકમાં ઈંદ્રોનાં સિંહાસનો સ્વયં હાલે, ઘંટા એની મેળે વાગે, નરકના પ્રાણીને પણ ક્ષણવાર સુખ થાય, એકીસાથે આ બધું થાય એ કયું પુણ્ય ? અનેકનાં પાપનાં દળિયાંને ફેરવી નાખે એવું એ પુણ્ય. એવા પુણ્યની પ્રાપ્તિ શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાથી વિરુદ્ધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org