________________
૧૭૦
- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨
- -
-
13
સમર્થ વાદી આચાર્યદેવ શ્રીમદ્ દેવસૂરીશ્વરજીને એક વાદી સાથે વાદ કરવાનો પ્રસંગ આવ્યો હતો. સૂરીશ્વરજી વાદીને રાત્રે ગયા. તર્કની બારી આપી આપીને વાદીને રમાડ્યું ગયા, કે તારાથી નચાય એટલું નાચી લે. એક દિવસ રાજાએ આચાર્યદેવને કહ્યું કે “વાદનો અંત ક્યારે આવશે ?”
શ્રી દેવસૂરિજીએ કહ્યું : “વિતંડાવાદી છે.” રાજાએ કહ્યું : “મારે વાદનો અંત લાવવો છે.” શ્રી દેવસૂરીશ્વરજીએ કહ્યું કે : “કાલે વાત.”
બીજે દિવસે પક્ષની સ્થાપના તથા વિપક્ષનું ખંડન નક્કી થયું. બોલતી વખતે કોઈ પણ ૫ , ફ, બ, ભ, મ ન બોલે એ નિર્ણય થયો. બોલે તે હાર્યો ગણાય. પહેલું બોલવાનું પણ સૂરીશ્વરજીએ રાખ્યું. બોલવાનું સંસ્કૃત ભાષામાં. હોઠ પર અળતાનો લેપ કર્યો, કે બોલે તો ખાતરી થાય; કારણ કે એ અક્ષરો ઓષ્ઠસ્થાની છે. શ્રી દેવસૂરીશ્વરજી, કલાકના કલાક સુધી ધારાબંધ બોલ્ય ગયા, પણ એ પાંચમાનો એક પણ અક્ષર ન આવ્યો. આવા સમર્થની સામે પેલો ટકે ? બોલવા ઊભો થયો, બોલતાં બોલતાં પાંચમાંનો અક્ષર આવી ગયો. એને એમ થયું કે હાર્યો, કે તરત હાર કબૂલ કરી. કરેલા ‘પણમાં બારી નહિ. એવા એ વાદી હતા. એ વાદીને પહોંચાય ! પણ જે ઘડીમાં આમ બોલે ને ઘડીમાં આમ બોલે, જે કાયદો, આગમ કે આજ્ઞા માને નહિ, કેવળ મતિકલ્પનાની જ વાતો કરે, તેની સાથે વાત શી રીતે થાય ? સભા : સ્વતંત્ર બુદ્ધિનો ઉપયોગ થાય છે.
સ્વતંત્ર બુદ્ધિનો એવો ઉપયોગ કરનાર અક્કલહીન છે. તીર્થંકરદેવ શ્રી મહાવીરનું શાસન : નામ એમનું દેવું, સિક્કો એમના નામનો મારવો અને મતિ પોતાની - એ બને ? જેઓ સાધુઓને પોતાની મરજી મુજબ નચાવવા માગે છે, તેઓને સુધારવાની આશા રાખવી એ ફોગટ છે. કલ્યાણના અર્થી આત્માઓએ ભગવાન શ્રી મહાવીરદેવની આજ્ઞા છોડી, ગાંડા અને ઉન્મત્તોની આજ્ઞા માનવાની મૂર્ખાઈ કરવા જેવું નથી. મુનિવરોની ફરજ છે કે તમારામાં જેટલા દોષ હોય એટલા કહે, દોષ ન હોય એની સંભાવના કરીને પણ કહે, પણ એ કહેવામાં હેતુ એક જ કે તમારામાં દુર્ગુણ હોય તે દૂર થાય અને દુર્ગણ ન હોય તો આવે નહિ. આ હેતુ માટે કારમા શબ્દમાં પણ કહેવાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org