SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ 7 -- ૧૧ : ઉપદેશનો હેતુ અને શૈલિ - 31 -- - ૧૧૧ નમસ્કાર કરતા હોય, તેઓ નરકનાં દુઃખથી ડરી તેના કારણભૂત “બહુ આરંભ” અને “બહુ પરિગ્રહ' આદિને દૂરથી નમસ્કાર કેમ નથી કરતા ? પરિષહાદિ કષ્ટોથી ભડકી સંયમથી દૂર ભાગવા ઇચ્છનારા, નરકાદિક દુઃખોથી ભડકી “મહારંભ” અને “મહાપરિગ્રહ' આદિ પાપકર્મોથી દૂર ભાગવાનું કેમ નથી ઇચ્છતા ? પરિણામે અનંત સુખને આપનારાં જે માત્ર પરીષહાદિકનાં દુઃખો, તેનાથી ત્રાસ પામનારો આત્મા, નરકનાં અનંત દુઃખોને કઈ રીતે સહી શકશે – એ કદી વિચાર્યું છે ? સહન થાય કે ન થાય, પણ બહુ આરંભ આદિના પ્રતાપે તે અનંત દુઃખોને ભોગવવા જ પડશે. માટે કહ્યું કે “શાસ્ત્રો દ્વારા સંયમની કઠિનતા સાંભળી અને પરીષહાદિક કષ્ટોથી ભડકી, સંયમને દૂરથી નમસ્કાર કરવા કરતાં શાસ્ત્રો દ્વારા નરકાદિક દુઃખોને જાણી તે દુઃખોથી ડરીને, નરકના કારણભૂત “મહારંભ' અને “મહાપરિગ્રહ' આદિ પાપકર્મને જ દૂરથી નમસ્કાર કરતાં શીખો ! કારણ કે એથી જ દુઃખોનો નાશ થશે.” અને એમ થશે તો જ સાચી શાંતિ સાંપડશે. સમ્યગ્દષ્ટિ આત્મા દરેક ક્રિયા કરતી વખતે વસ્તુસ્વરૂપનો વિચાર અવશ્યમેવ કરે ખાવા બેસે ત્યારે પણ સારામાં સારી ચીજના રૂપ, રંગ અને સ્વાદ વગેરેને જોઈ, એ પુણ્યશાળી વિચારે કે “આ ચીજ લાગે છે સુંદર અને સ્વાદિષ્ટ, પણ તેની સુંદરતા મુખની બહાર છે ત્યાં સુધી અને તેની સ્વાદિષ્ટતા જીભ ઉપર છે ત્યાં સુધી પછી એ બન્નેયનો નાશ!અને તે પણ એવો કે પુનઃ જો એ બહાર નીકળે કે કાઢવામાં આવે, તો જોવી પણ ન ગમે ! આવી વસ્તુ ઉપર મમતા શી ?” સમ્યગ્દષ્ટિ આત્મા, તપશ્ચર્યા ન કરી શકે તો ખાય ખરો, પણ આસક્તિ ન ધરાવે. પૈસા માટે પણ વિચારે કે આ રહેવાના ક્યાં સુધી ? દષ્ટિ કહેવાય સમ્યગુ અને વિચાર તથા વર્તન અસમ્યક્ હોય એ કેમ ચાલે ? કેટલાક કહે છે કે “મન ચંગા તો કથરોટ મેં ગંગા” પણ ચંગા મન છે ક્યાં ? મન ચંગા હોય તો કાર્યવાહી આવી રહે ? જ્ઞાની પુરુષો તો બધાને જ મોક્ષમાં લઈ જવાને ઇચ્છે છે. જેવું એ જ્ઞાની કહે છે, તેવું હું પણ કહ્યું છું. સંસારરસિકોને ન જચે તેનો ઉપાય શો ? કાં તો સમજાવો કે તમે જ્યાં બેઠા છો, એ સ્થાન આત્માનું ભલું કરી શકે તેમ છે ! પણ નહિ, વસ્તુસ્થિતિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004826
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & agam_acharang
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy