SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ૨ વર્ષના શોકને મહાત કરે. આંખનાં પડળ પણ દૂર થયાં. દેખતાં થયાં, કેવળજ્ઞાન પણ થયું અને મુક્તિ પણ થઈ. બધું એકીવખતે. ૧૨૪ શ્રી ધર્મબિંદુ ગ્રંથમાં જ્યાં ગ્લાનઔષધવત્ માતાપિતાના ત્યાગની વાત લખી, ત્યાં દૃષ્ટાંત ભગવાન શ્રી ઋષભદેવનું આપ્યું. માતાના મોહને ન ગણકારી, પોતે સંયમ લઈ, હજાર વર્ષ વિહરી, તપ કરી, કેવળજ્ઞાન મેળવી માતાને સમર્પણ કર્યું, માટે ઋષભદેવ જેવો પુત્ર “ન ભૂતો ન મવિષ્યતિ' એમ કહેવાય છે. દીકરા એવા જોઈએ. માતાપિતાનાં આંસુના સાગરમાં ન ડૂબતાં, રોતાં મૂકીને પણ જાય, અને પોતે સન્માર્ગે જોડાઈ માતાપિતાને પણ સન્માર્ગે વાળે, તો જ માતાપિતાના ઉપકારનો સાચો બદલો વળી શકે તેમ છે. એનાં જ માતાપિતા પછી કહે કે અમારા દીકરાએ સારુ કર્યું, પણ પ્રથમથી જ સારી કરણી ક૨વામાં પણ એક રુએ અને એક આંસુ લૂછે એવું કર્યા કરે અને હિતકર પ્રવૃત્તિને ભૂલી જાય અગર નષ્ટ કરી દે કે મુલત્વી રાખી મોહમગ્ન અવસ્થા ગુજાર્યા કરે, તો બન્નેનું બગડે. આથી સમજી શકાશે કે આસક્તિનો પરિત્યાગ કરી, મુક્તિની સાધના માટે ત્યાગી થયેલ આત્માને પાછળના મોહમગ્ન આત્માઓના રુદનનું પાપ કોઈ પણ રીતે લાગી શકતું નથી, તે રુદન આદિનું પાપ તો તે રુદન આદિ કરનારાઓને, કરાવનારાઓને અને ક૨ના૨ની અનુમોદના કરનાર અથવા કરનારને કે કરવામાં ઉત્તેજન આપનારાઓને જ લાગે. Jain Education International 400 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004826
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & agam_acharang
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy