________________
૧૧૨
-
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૨ –
–
388
જૈનશાસનમાં નથી. “અહીં પણ ધર્મ છે અને ત્યાં પણ ધર્મ છે.'-આવું બોલનાર મરીચિ શ્રી તીર્થંકરનો આત્મા હતો, ત્રણ લોકનો નાથ થવાનો હતો, સંખ્યાબંધ આત્માનો તારક થવાનો હતો, છતાં એની ભૂલ માફ થઈ ? નહિ જ. એ ભૂલના યોગે કોટાકોટિ સાગર પ્રમાણ સંસારની વૃદ્ધિ થઈ. ધર્મકથાનુયોગમાંથી સાર કેવો નીકળે છે, તે વિચારો ! એ શ્રી મહાવીર ભગવાનના આત્માને પણ સાતમીએ જવું પડ્યું. એમાં કાંઈ ચાલે ?
શ્રી યૂલિભદ્રસ્વામી ચૌદ પૂર્વ-શ્રુતકેવલી, જેમને ગ્રંથકાર પણ ભગવાન શબ્દથી સંબોધે, પણ એ પણ જ્યાં ભૂલ્યા ત્યાં સ્પષ્ટ લખ્યું કે ભગવાન સ્થૂલિભદ્ર પણ-શ્રુતકેવલી પણ પ્રમત્ત થયા. શ્રી યૂલિભદ્રસ્વામી એક વાર પોતાના મિત્રને ઘેર ગયા. મિત્ર ઘેર નહોતો. દેશના દેવા માંડી, પણ ઘડી ઘડી આંગળી થાંભલા તરફ કરતા હતા. દેશના દઈ ગયા પછી મિત્ર આવ્યો. સ્ત્રીએ વ્યતિકર (બનાવ) કહ્યો કે “શ્રી ધૂલિભદ્ર મહાત્મા આવી ગયા, તમે ઘેર નહોતા તો દેશના દઈને ગયા.” મિત્રે પોતાની સ્ત્રીને પૂછ્યું કે દેશના જ દીધી કે કંઈ કહી પણ ગયા ?' સ્ત્રીએ કહ્યું કે “કહ્યું તો કાંઈ નથી, પણ વારંવાર આંગળી
આ થાંભલા તરફ કરતા હતા.” મિત્ર વિચક્ષણ હતો. થાંભલાને તોડી એમાંથી નિધાન કાઢ્યું. ગ્રંથકાર લખે છે કે ભગવાન સ્કૂલિભદ્રને પણ જ્ઞાનમદ થયો, ભૂલ્યા, પ્રમત્ત બન્યા.
સાત બહેનો જ્યારે વંદના કરવા આવી ત્યારે હું પણ કાંઈક છું-એમ બતાવવા સિંહનું રૂપ વિકુવ્યું હતું. બહેનો ભય પામી ગુરુ પાસે ગઈ. ગુરુએ જાણ્યું કે હવે આ સ્થૂલિભદ્ર વિદ્યાને અયોગ્ય છે, અને જ્ઞાનનો મદ થયો. બહેનોને કહ્યું કે, ફરીને જાઓ. ફરીને ગઈ ત્યારે શ્રી સ્થૂલિભદ્ર બેઠા હતા. વંદના કરીને સ્થાને ગઈ. ગુરુએ તરત તેમને વિદ્યાને અયોગ્ય જણાવી દીધા. ભલે પછી સંઘના આગ્રહથી બાકીનાં પૂર્વે ભણાવ્યાં, પણ તે અર્થ વિના ! આપણો મુદ્દો એ છે કે ચૌદ પૂર્વીનો પણ દોષ આ શાસ્ત્ર છુપાવ્યો ? નહિ જ.
સભા : મિત્રની અનુકંપાથી કર્યું હોય તો?
અનુકંપા કેટલી જાતની ? બે જાતની ! દ્રવ્યાનુકંપા અને ભાવાનુકંપા. મુનિ તો ભાવ અનુકંપાના ધણી છે. ગૃહસ્થ શ્રાવક અન્ય શ્રાવકને દુઃખી જોઈ શક્તિસંપન્ન છતાં એનું દુઃખ દૂર કરવા દ્રવ્યાનુકંપા ન કરે તો એનું ધર્મીપણું ઝાંખું પડે અને પરિણામે ન પણ ટકે, પણ મુનિ તો ભાવઅનુકંપાના સ્વામી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org